નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ સમયે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના સાંસદો વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે. આ સાથે રાહુલ ગાંધી રાષ્ટ્રપતિને મળશે અને તેમને 2 કરોડના હસ્તાક્ષરનો પત્ર આપશે.
કૃષિ કાયદાઓ સામે રેલી કાઢશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી
2 કરોડ હસ્તાક્ષર સાથે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે રાહુલ ગાંધી
વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે કોંગ્રેસી કાર્યકરો
પાર્ટીના સંગઠન મહા સચિવ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે પહેલાં કૃષિ વિરોધી કાયદો બનાવીને ખેડૂતોને માટે મુશ્કેલી કરી છે અને સાથે અન્ય મંત્રીઓ અન્નદાતાઓનું અપમાન કરી રહ્યા છે. કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા વિરોધને લઈને કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું હતુ. તે કાયદાને પરત લેવાની માંગના પક્ષમાં 2 કરોડ લોકોના હસ્તાક્ષર લેવાયા છે.
અત્યાર સુધી 44 ખેડૂતોના થયા છે મોતઃ કોંગ્રેસ
કોંગ્રેસના નેતાનો દાવો છે કે કડકડતી ઠંડીમાં ખેડૂતો 27 દિવસથી આંદોલન કરી રહ્યા છે તેમાં 44 લોકોના મોત થયા છે. મોદી સરકારે પહેલાં પણ ખેડૂતોને મુશ્કેલીમાં રાખ્યા હતા અને હજુ પણ તેમના મંત્રીઓ ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે.
ખેડૂત સંધે કહ્યું સરકાર મુક્ત મને વાત કરવા આગળ આવે
આંદોલનકારી ખેડૂતોએ સરકારની તરફ તમામ અધિકારો નાંખીને ફરી વાતચીત શરૂ કરવા રહ્યું છે. તેઓએ કહ્યું કે સરકાર સમાધાન સુધી પહોંચવા માટે સંવાદ કરે અને સરકાર કૃષિ ક્ષેત્રમાં સુધાર માટે પ્રતિબદ્ધ છે તો ઠોસ પ્રસ્તાવ સાથે વાતચીત માટે આગળ આવે.
શુક્રવારે પીએમ મોદી 6 રાજ્યોના ખેડૂતોની સાથે વાત કરશે
ત્રણ નવા કૃષિ કાયદાને ખતમ કરવાની માંગને લઈને સરકાર અને પ્રદર્શનકારીઓની વચ્ચે કોઈ હલ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી નથી. આવતીકાલે એટલે કે શુક્રવારે પીએમ મોદી 6 રાજ્યોના ખેડૂતોની સાથે વાત કરવાના છે અ સમયે ખેડૂતો કેન્દ્ર દ્વારા કરાયેલી પહેલને લઈને તેમનો અનુભવ રજૂ કરશે.