કેન્દ્ર સરકારના કૃષિ કાયદા સામે ખેડૂતો આટલા દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે આજે દુ:ખદ સમાચાર આવી રહ્યા છે જેમાં એક ખેડૂતે આપઘાત કર્યો છે.
ટિકરી બોર્ડર પર ખેડૂતની આત્મહત્યા
ખેડૂતે ફાંસી લગાવી આત્મહત્યા કરી
સ્યુસાઇડ નોટમાં વ્યક્ત કર્યો દર્દ
ટિકરી બોર્ડર પર ખેડૂતે ફાંસી લગાવી આત્મહત્યા કરી
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા સતત આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે અને બીજા એક ખેડૂતનું હાર્ટ અટેકથી મોતના સમાચાર આવી રહ્યા છે. આપઘાત કરનાર ખેડૂત ઠડોય સમય પહેલા જ આંદોલનમાં જોડાયા હતા અને ખેડૂતોના સાથીદારોએ કહ્યું કે તે ગઇકાલે ખૂબ જ નિરાશ હતા. મોડી રાતે આ ખેડૂતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો.
થોડા દિવસ પહેલા જ આંદોલનમાં સામેલ થયો હતો ખેડૂત
ટિકરી બોર્ડર આંદોલનની વચ્ચે ખૂબ માઠા સમાચાર સામે આવી રહ્યા છે. વહેલી સવારમાં એક ખેડૂત ફાંસીમાં લટકતી હાલતમાં પ્રાપ્ત થયા ત્યાં બીજા એક ખેડૂતનું પણ મોત થયું છે. ખેડૂતો નેતાઓનું કહેવું છે તે ખેડૂતનું મોત હાર્ટ અટેકના કારણે થયું છે.
''મોદી સરકાર તારીખ પર તારીખ આપી રહી છે''
આપઘાત કરનાર ખેડૂતો જિંદના સિંહવાલાના રહેવાસી હતા અને ઉંમર 50 વર્ષની હતી. તેમણે બસસ્ટેન્ડ પાસે એક ઝાડ પર ફાંસી લગાવીને આપઘાત કરી લીધો. અને વહેલી સવારે ખેડૂતોને તેમનું શબ પ્રાપ્ત થયું. સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે ભારતીય કિસાન યુનિયન જિંદાબાદ. આ મોદી સરકાર તારીખ પર તારીખ આપી રહી છે એટલે કોઈ અંદાજો નથી કે આ કાળા કાયદા ક્યારે રદ્દ થશે.
''કોઇ અંદાજો નથી કે કાળો કાયદો ક્યારે રદ થશે''
સુસાઇડ નોટમાં આગળ લખવામાં આવ્યું છે કે કાયદા રદ ન થાય ત્યાં સુધી અમે ઘરે નહીં જઈએ. નોંધનીય છે કે આ સમાચાર મળતા જ પોલસી તરત જ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને પરિવારજનોએ સૂચના આપી દેવામાં આવી છે.