ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરી છે. તો આ બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી છે.
નરેશ પટેલે પત્રકાર પરિષદમાં કર્યો મોટો ખુલાસો
નરેશ પટેલે રાજકારણમાં જોડાવા ઇચ્છતા હોવાનો સ્વીકાર કર્યો
નરેશ પટેલની આજે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજાઈ
નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ અંગે વધુ એક મુદ્દત આપી દીધી છે. સરદાર પટેલ ભવન ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે યોજાયેલી ખોડલધામની બેઠક બાદ નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજી છે. આ પત્રકાર પરિષદમાં તેમણે રાજકારણમાં જોડાવા ઇચ્છતા હોવાનો સ્વીકાર કર્યો છે. પરંતુ ક્યારે જોડાશે તે અંગે સ્પષ્ટ જણાવ્યું નથી, ક્યારે રાજકારણમાં જોડાવું અને કયા પક્ષમાં જોડાવું તે સર્વે પર છોડી દીધું છે. મહત્વનું છે કે, ખોડલધામની પોલિટીકલ સમિતીના રિપોર્ટ બાદ નરેશ પટેલ નિર્ણય લેશે.
પત્રકારોને સંબોધતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે, હું રાજકારણમાં જોડાવા ઇચ્છું છું. રાજકારણમાં જાઉં તો રાજીનામું આપવું પડે એ ખોડલધામનું બંધારણ છે. હું દરેક પક્ષના લોકો સાથે વાત કરું છું. તમામ પક્ષના આગેવાન નેતાઓ સાથે સંપર્ક છે.
પત્રકાર પરિષદમાં નરેશ પટેલે 10 મોટી વાત કરી
1. ક્યારે રાજનીતિમાં જોડાશો?
રાજનીતિમાં આવવાની મારી વ્યક્તિગત ઇચ્છા છે. એપ્રિલના મધ્યમા રાજનીતિમાં જોડાવા અંગે નિર્ણય લઇશ. અત્યારે કહેવું ખુબ અઘરું છે. હજુ પણ એક મહિના જેટલા સમય લાગી શકે છે.
2. કઇ પાર્ટીમાં જોડાશો?
સમય આવતા કયા પક્ષમાં જોડાઇશ તે વાત કરીશ. ત્રણેય પાર્ટીના નેતા મારા કોન્ટેકમાં છે, દરેક સાથે વાત કરું છું. સેવા કરવા માટે રાજકારણમાં જોડાવું જરૂરી છે, હું જોડાવા ઇચ્છું છું. તમામ અભિપ્રાય માંગું છું. સત્તાપક્ષ, વિપક્ષ કે અન્યમાં જોડાવું તે અંગે સર્વે કહેશે. મેજોરીટી આવે તેમ કરીશ. દરેક નેતાઓને મળી ચૂક્યો છું.
3. શા માટે હજુ સુધી નિર્ણય નથી લીધો?
ખોડલધામની પોલિટીકલ સમિતી સર્વે કરી રહી છે. હજુ સૌરાષ્ટ્રના થોડા ગામોમાં સર્વે થયો છે. સર્વે રાજકારણમાં આવવું કે નહીં અને કઇ પાર્ટીમાં જોડાવું તે અંગે થઇ રહ્યો છે. ગુજરાતના ગામડાઓમાં જે ગામનું મતદાન મોટું છે તેનું સજેશન લેવામાં આવી રહ્યું છે. ખોડલધામનું એક નેટવર્ક છે જે અંતર્ગત રિપોર્ટ તૈયાર થશે. ટ્રસ્ટના નેટર્વકથી હું સમિતિના સંપર્કમાં છું. ગામ, તાલુકા, જિલ્લાઓમાં સર્વે ચાલી રહ્યો છે.
4. અત્યાર સુધીના સર્વેમાં શું પરિણામ આવ્યું?
હાલ તો મિક્સ રિએક્શન આવી રહ્યા છે, કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે તમે ખોડલધામમાં છો તે સારી જગ્યા છે. તો કેટલાક કહે છે કે રાજકારણમાં જઇને તમે વધુ સારૂ કરી શકશો. હાલ તો મિક્સ રિએક્શન આવી રહ્યા છે, કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે તમે ખોડલધામમાં છો તે સારી જગ્યા છે. તો કેટલાક કહે છે કે રાજકારણમાં જઇને તમે વધુ સારૂ કરી શકશો. જે લોકો મારી ચિંતા કરે છે તે એવું કહે છે કે તમે જે જગ્યાએ બેઠા છો તે બરાબર છે.
5. ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપી દેશો?
સમાજના કેટલાક લોકો કહે છે કે રાજનીતિમાં જાઓ અને ચેરમેન પદે પણ રહો. પરંતુ હું તો નિયમ મુજબ રહીશ. રાજકારણમાં જાઉં તો રાજીનામું આપવું પડે એ ખોડલધામનું બંધારણ છે. સમાજના લોકો માને છે મારે ચેરમેન પદ ન છોડવું જોઇએ.
6. પ્રશાંત કિશોર સાથે બેઠક થઇ?
પ્રશાંત કિશોરને ઘણા સમય પહેલા મળ્યો હતો, એ મુલાકાતનો વિષય અલગ હતો.
7. પાટીદારો પરના કેસ પરત ખેંચવા મુદ્દે શું કહો છો?
દોઢ વર્ષ પહેલા સરકારે મને પ્રોમિસ આપ્યું હતું કે કેસ પાછા ખેંચીશું. સરકાર સાથે મારે પહેલા વાત થઇ હતી.
8. 'સરપંચથી સંસદ સુધી પાટીદારો હોવા જોઈએ' આ નિવેદન પર શું કહેશો
સરપંચથી સંસદ સુધી પટેલ હોવો જોઈએ આવું મેં નથી કહ્યું. પણ એવું કહ્યું છે કે પાટીદારો હોવા જોઈએ અને દરેક સમાજના યુવાનો હોવા જોઈએ.
9. દિનેશ કુંભાણી ખોડલધામના નવા ચેરમેન હશે?
દિનેશ કુંભાણી ખોડલધામના નવા ચેરમેન હોવાની ખોટી વાત છે.
10. પેપર ગેરરીતિ મુદ્દે શું કહેવું છે તમારું?
ગુજરાતમાં પેપર ફૂટ્યું તે ખુબ નિંદનીય ઘટના છે, તેમાં ઢીલી નીતિ ન ચલાવી લેવાય.