કેન્દ્ર સરકારે ખલ રત્ન એવોર્ડનું નામ બદલ્યું છે. હવે તે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મને ભારતભરના નાગરિકો તરફથી મેજર ધ્યાનચંદના નામે ખેલ રત્ન એવોર્ડ આપવા માટે ઘણી વિનંતીઓ મળી રહી છે. તેમની ભાવનાનું સન્માન કરતા, ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે.
देश को गर्वित कर देने वाले पलों के बीच अनेक देशवासियों का ये आग्रह भी सामने आया है कि खेल रत्न पुरस्कार का नाम मेजर ध्यानचंद जी को समर्पित किया जाए। लोगों की भावनाओं को देखते हुए, इसका नाम अब मेजर ध्यानचंद खेल रत्न पुरस्कार किया जा रहा है।
ધ્યાનચંદના જન્મદિવસે ભારતમાં નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવાય છે
હોકીના જાદૂગર તરીકે પામ્યા ઓળખ
હોકીના જાદૂગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદનું હોકીમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. તેમણે પોતાની અંતિમ ઓલિમ્પિકમાં (બર્લિન 1936)માં 13 ગોલ ફટકાર્યા હતા. આમ એમ્સર્ડમ, લોસ એન્જલસ અને બર્લિન ઓલિમ્પિક મળીને ધ્યાનચંદે 39 ગોલ કર્યા હતા.
1991-92માં શરૂ કરાયો હતો એવોર્ડ
તેમના જન્મદિવસની ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે રમતમાં મોટું યોગદાન આપનાર સર્વોચ્ચ રમત સન્માન સિવાય અર્જૂન અને દ્રોણાચાર્ય પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1991-92માં કરવામાં આવી હતી.