ગુજરાતમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ મહિનામાં નર્મદા ખાતે કેવિડયાની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે કેવડિયામાં ફરી 18,000 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
કેવડિયામાં 18 હજાર લોકોના થશે કોરોના ટેસ્ટ
રાષ્ટ્રપતિ બે દિવસ કેવડિયાની મુલાકાતે આવશે
આરોગ્ય વિભાગે 10 હજાર રેપીડ ટેસ્ટ કીટ મંગાવી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25થી 27 નવેમ્બર દરમિયાન નર્મદાના કેવડિયા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. કેવિડયા ખાતે 25થી 27 નવેમ્બર સુધી સ્ટેચુ ઓફ યુનિટી પાસે કાર્યક્રમ યોજાશે. જેને લઇને 24 નવેમ્બરથી મહેમાનોનું આગમન થશે. રાષ્ટ્રપતિ માટે ખાસ દરબારી ટેન્ટનું આયોજન કરાયું છે.
આમ દેશના રાષ્ટ્રપતિ જ્યારે બે દિવસની કેવડિયાની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે અંદાજે 18,000 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઇને તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ થશે. કોરોના ટેસ્ટને લઇને આરોગ્ય વિભાગે 10 હજાર રેપિડ ટસ્ટ કીટ મંગાવી છે. કેવડિયા ખાતે આગામી 27થી 27 નવેમ્બર દરમિયાન સ્પીરક્રર્સ કોન્ફરન્યું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો હોટ ફેવરિટ
નર્મદા જિલ્લો આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ રહ્યો છે. છેલ્લા છ દિવસમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 60 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને આગામી 24 તારીખ સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટોને જોવા માટે ઓનલાઇન બુકિંગ ફુલ થઇ ગયું છે.
અમદાવાદમા તહેવાર સમયે કોરોના વિસ્ફોટ
અમદાવાદમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન 112 રેકોર્ડ બ્રેક કોરોનાના દર્દીઓ દાખલ થયા છે. સિવિલ હોસ્પિટલમાં હાલ 80 ટકા દર્દીઓ ઓક્સિજન પર છે. ત્યારે હાલ શહેરમાં મે મહિના કરતા પણ ખરાબ સ્થિતિ થઇ શકે છે.