આમ આદમી પાર્ટી દ્વારા 2022ની ચૂંટણીઓ પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા મુખ્યમંત્રી કેજરીવાલને ફરી પાર્ટીમાં રાષ્ટ્રીય સંયોજક તરીકે ચૂંટવામાં આવ્યા છે.
કેજરીવાલ આપમાં રાષ્ટ્રીય સંયોજન તરીકે ચૂંટાયા
2022 પહેલા આમ આદમી પાર્ટીનો મોટો નિર્ણય
5 વર્ષના કાર્યકાળ માટે કેજરીવાલ રહેશે રાષ્ટ્રિય સચીવ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એક વાર આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે ચૂંટવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ હતી. જેમા રાષ્ટ્રીય કાર્યકરની ચૂટણી કરવામાં આવી . જે ચૂંટણીમાં કેજરીવાલ ફરી બાજી મારી ગયા.
5 વર્ષનો રહેશે કાર્યકાળ
આ બેઠકમાં કેજરીવાલને રાષ્ટ્રીય સંયોજક. પંકજ ગુપ્તાને સચિવ તેમજ રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાને પાર્ટીના કોષાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. હવે ત્રણેનો કાર્યકાળ 5 વર્ષ સુધીનો રહેશે
વર્ષની શરૂઆતમાં પાર્ટીના નિયમો બદાલાય
આપને જણાવી દઈએકે સતત ત્રીજી વખત આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલને રાષ્ટ્રીય સંયોજક બનાવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં આમ આદમી પાર્ટીમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. પાર્ટી દ્વારા એવો પહેલા એવો નિયમ બનાવામાં આવ્યો હતો કે ત્રણ વર્ષ કરતા વધું કોઈ પણ નેતા કાર્યકાળમાં નહી રહે પરંતુ બાદમાં આ વર્ષે આ નિયમ બદલી કાઢવામાં આવ્યો છે.
2022ની ચૂંટણીઓની તૈયારીમાં આમ આદમી પાર્ટી
ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેમા આમ આધમી પાર્ટી જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. જેમા ખાસ કરીને તે પંજાબમાં જીતશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. તે સિવાય આમ આદમી પાર્ટી ઉત્તરાખંડના મેદાનમાં પણ ઉતરી છે. જ્યા તેમણે પોતાનો મુખ્યમંત્રી કોણ હશે તે પણ જાહેર કરી દીધું છે.