કોરોના સંકટમાં સરકારને ધાર્મિક ટ્રસ્ટોમાં રાખવામાં આવેલું સોનું લેવાનું કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણના આ નિવેદનને લઇને ધમાસાણ જોવા મળી રહ્યું છે. ધર્મ ગુરુઓમાં આ વાતને લઇને આક્રોશ જોવા મળી રહ્યો છે.
કાશિ વિશ્વનાથ મંદિરે પૃથ્વીરાજ ચવાણ પર મંદિરમાં પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ
આ વચ્ચે દ્વાદશ જ્યોર્તિલિંગમાં સર્વોપરી શ્રી કાશી વિશ્વનાથ મંદિરના મહંત પરિવાર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો હતો. મહંત પરિવારે પૃથ્વીરાજ ચહાણ અને તેમના પરિવારનો કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રવેશને લઇને પ્રતિબંધ જાહેર કર્યો છે. આ સાથે દેશના અન્ય જ્યોર્તિલિંગના પુજારીઓને આગ્રહ કર્યો છે કે તેઓ પણ આ પ્રકારનો નિર્ણય લે. કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંતે પૃથ્વીરાજ ચવાહણને માનસિક વિકૃત બતાવ્યાં.
કોરોના સંકટમાં પૃથ્વીરાજ ચવાણે આ નિવેદન આપ્યું હતું કે સરકારે ધાર્મિક ટ્રસ્ટોનું સોનુ લઇ લેવું જોઇએ, પરંતુ મોટા-મોટા મંદિરના મહંત અને પુજારીઓ આ નિવેદનને નકારતાં વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંત ડોકટર કુલપતિ તિવારીએ કહ્યું કે પૃથ્વીરાજ ચવાણનું નિવેદન સાંભળી હું હતપ્રત રહી ગયો. આ કોંગ્રેસની સરકાર હતી જ્યારે કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી કરાવીને આ લોકોએ અધિગ્રહણ કરી લીધું.
ડોકટર કુલપતિ તિવારીએ કહ્યું કે 1983માં કાશી વિશ્વનાથ મંદિરમાં થયેલી ચોરીમાં કોંગ્રેસની મુખ્ય ભુમિકા રહી છે. પૃથ્વીરાજ ચવાણ હતાશાથી પીડાય છે, તેઓનું માનસિક સંતુલન બગડી ગયુ છે અથવા પૂર્વાગ્રહથી ગ્રસ્ત છે. મંદિરમાં ભક્તોએ ચડાવેલા દાન, પુણ્ય અને ફળ સરકાર ન લઇ શકે.