રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવા મામલે રાજપૂત કરણીસેના સમર્થનમાં આવી છે. ASIને સસ્પેન્ડ કરવાના નિર્ણયનો કરણી સેના દ્વાર ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. આ મામલે ગૃહમંત્રી,પોલીસવડાને રજૂઆત કરણીસેના રજૂઆત કરશે. મહત્વનું છે કે ASI હિતેન્દ્રસિંહ ઝાલાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ સસ્પેન્ડ કરાયા હતા.
શું છે સમગ્ર બનાવ ?
મળતી વિગતો પ્રમાણે રાજકોટના ASI હિતેન્દ્રસિંહ ઝાલા રાજકીય આગેવાનના બનેવીને જુગાર રેડમાં ઝડપી પાડ્યો હતો. જે બાદ તે રાજકીય આગેવાને લાગવગ લગાડી સતત ASI હિતેન્દ્રસિંહ ઝાલાને હેરાન કર્યાનો આરોપ લાગી રહ્યો છે. આખરે કંટાળી ASIએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી દેતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.રાજકીય આગેવાન બદલીની ધમકી આપી રહ્યો છે કે એવી જગ્યાએ બદલી કરાવીશ કે ત્યાં પાણી પણ નસીબ નહીં હોય. જો કે સોશિયલ મીડિયા પોસ્ટમાં કયા નેતાએ ધમકી આપી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ પોસ્ટ બાદ રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ASIએ શું લખ્યું હતું ?
ASI હિતેન્દ્રસિંહ ઝાલા આપવીતી જણાવતા કહ્યું કે આજે એક નેતાને તેની અસલિયત કહી તો મને બદલીની ધમકી આપી કે એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મળે, એ મને 4 વરસથી હેરાન કરે છે વગર વાંકે મારી બદલીઑ કરાવે છે જ્યારે એનો ઈતિહાસ વિવાદોથી ખરડાયેલો છે છતાં મને ધમકીઓ આપે છે પણ મારી તૈયારી છે. ઝૂકેગા નહીં મૈ સાલા.. મે મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને જુગારની રેડ કરી હતી. પણ મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે કે કેમ કે હું લડીશ ઝુકીશ નહીં અન્યાય સામે.