કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી યેદુયુરપ્પાએ ફ્લોર ટેસ્ટની મુશ્કેલી પાર કરી છે. સોમવારે યેદિયુરપ્પાએ ધ્વનિ મતથી ગૃહમાં બહુમત સાબિત કરી. આ કાર્યવાહી બાદ સ્પીકર આર કે રમેશ કુમારે વિધાનસભા અધ્યક્ષ પદે થી રાજીનામુ આપ્યું છે.
ડેપ્યૂટી સ્પીકરના હવાલે ગૃહ
વિધાનસભામાં નાણા વિધેયક પસાર થાય એ પહેલા સ્પીકરે પોતાના રાજીનામાની જાહેરાત કરી. રમેશ કુમારે કહ્યું કે હું પદ છોડવા માંગુ છું. હવે ગૃહની કાર્યવાહી ડેપ્યૂટી સ્પીકર સંભાળશે.
બીજેપી લાવવાની હતી અવિશ્વાસ પ્રસ્તાવ
બીજેપી સ્પીકર રમેશ કુમારને પદ પરથી હટાવવા માટે તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની હતી. પાર્ટી સૂત્રો મુજબ જો સ્પીકર રમેશ કુમાર સ્વેચ્છાએ રાજીનામુ ન આપતા તો ભાજપ તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવતી.
બીજેપીએ સ્પીકરને આપ્યા હતા સંકેત
કર્ણાટક બીજેપીના એક નેતાએ કહ્યું હતું કે સ્પીકર રમેશ કુમારે સરકાર તરફથી પદ છોડવાના સંકેત આપ્યા હતા. સ્પીકરના પદ પર પરંપરાગત રીતે સત્તાધારી પાર્ટીના સભ્ય બિરાજે છે. જો એમને ખુદ રાજીનામુ ન આપતા તો અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવતો. બીજેપીની બેઠકમાં નક્કી થયું હતું કે વિશ્વાસમત અને નાણા વિધેયક બાદ પાર્ટી સ્પીકરના રાજીનામા પર વિચાર કરી શકતી હતી.
યેદિયુરપ્પા સરકાર ફલોર ટેસ્ટમાં પાસ
કર્ણાટકમાં આજે ફ્લોર ટેસ્ટ યોજાયો. જેમાં મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ વિધાનસભામાં બહુમત સાબિત કરી છે. આ દરમિયાન વિપક્ષે મત વિભાજનની માગ કરી નહોતી. સરકારના બહુમત પરીક્ષણ દરમિયાન બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે તેઓ દરેક મિનીટ રાજ્યના વિકાસ માટે કામ કરશે.
યેદિયુરપ્પા સરકાર ફલોર ટેસ્ટમાં પાસ થઇ ગઇ છે. વિપક્ષે મત વિભાજનની માગ કરી નહોતી અને યેદિયુરપ્પા સરકારે ફલોર ટેસ્ટમાં પાસ થઇ ગઇ છે. આ સાથે સરકાર પોતાના આગળના કામકાજમાં લાગી ગઇ છે. હાલમાં 207 ધારાસભ્યવાળી વિધાનસભા છે, જેમાં બહુમતિ માટે 104નો આંકડો જોઇતો હતો અને અને હાલમાં ભાજપ પાસે 105 ધારાસભ્ય છે.
જ્યારે પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે હવે તમે લોકો સરકારમાં છો, હવે ધારાસભ્યો પર દબાણ બનાવાનું બંધ કરો. કુમારસ્વામીએ કહ્યું કે જો સરકાર વિકાસલક્ષી કાર્યો કરે છે તો તેઓ સરકારને સમર્થન આપશે.