વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના સમાચાર મળ્યા બાદ ઉજ્જૈનમાં પણ પાયા વગરની મસ્જિદમાં શિવ મંદિર હોવાનો મામલો સામે આવ્યો છે.
વારાણસી જ્ઞાનવાપી મસ્જિદ બાદ અહીં વિવાદ શરૂ થયો
ઉજ્જૈન અને કર્ણાટકમાં હિન્દુઓની માગ
મસ્જિદની જગ્યાએ મંદિર હોવાનો દાવો
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના સમાચાર મળ્યા બાદ ઉજ્જૈનમાં પણ પાયા વગરની મસ્જિદમાં શિવ મંદિર હોવાનો મામલો સામે આવ્યો છે. શહેરના ચિન્હિત કેટલાય ધાર્મિક સ્થળ પર પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામા આવી છે. ઉજ્જૈન પોલીસના જણાવ્યા અનુસાર, સુરક્ષાની દ્રષ્ટિએ દરેક સંભવ પ્રયાસ થઈ રહ્યા છે.
ઉજ્જૈનમાં આવેલી મસ્જિદ મંદિર હોવાનો દાવો
ઉજ્જૈનના મહામંડલેશ્વર અતુલેશાનંદજીએ ઉજ્જૈનના દાની ગેટ પર આવેલી મસ્જિદમાં પ્રાચીન શિવ મંદિર હોવાની વાત કહી છે. મહામંડલેશ્વરે કહ્યું કે, તેમણે પાયા વગરની મસ્જિદમાં ગણેશ પ્રતિમા, હાથી ધોડા વગેરે પ્રતિમાઓ જોઈ છે. મહામંડલેશ્વરે પ્રશાસને મસ્જિદની તપાસ કરાવાની માગ કરી છે. મસ્જિદની વીડિયોગ્રાફી કરીને પુરાવા એકઠા કરવાની પણ માગ કરી છે. અતુલેશાનંદજીના જણાવ્યા અનુસાર મુગલ શાસકોએ અહીં કબ્જો કરીને મસ્જિદો બનાવી છે.
મુગલોએ મંદિરોને પાડી દીધા
મહામંડલેશ્વરે કહ્યું કે, રાજા ભોજ શિવ ભક્ત હતા અને તેમણે 1026માં ગજનવીને હરાવ્યો હતો. તે સમયે તેમણે અમારા ઉજ્જૈનમાં એક શિવ મંદિર બનાવ્યું હતું. જેને નાની ભોજનશાળા કહેવા યછે અને ભોજનશાલ ધારમાં આવેલી છે. જ્યા સરસ્વતી માતાનું મંદિર છે. ઉજ્જૈનમાં તેમણે શિવ મંદિર બનાવડાવ્યુ હતું. આવા દેશભરમાં કેટલીય જગ્યાએ બનાવડાવ્યા છે. ઉજ્જૈનમાં બનેલા શિવ મંદિરને 1600માં મુગલ શાસકોએ તોડીને કબ્જો કરી લીધો હતો અને આજે પાયા વગરની મસ્જિદ તરીકે ઓળખાય છે.
કર્ણાટકમાંથી પણ આવો મામલો સામે આવ્યો
આ બાજૂ કર્ણાટકમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મસ્જિદમાં મંદિર હોવાના દાવાથી ખળભળાટ મચી ગયો છે. દક્ષિણપંથી ગ્રુપના અમુક સભ્યોએ સોમવારે કર્ણાટકના માંડ્યાના ડેપ્યુટી કમિશ્નરને નોટિસ આપી છે. જેમાં એવી માગ કરવામા આવી છે કે, તેમણે જામિયા મસ્જિદમાં આંજનેય મૂર્તિની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે.
આ ગ્રુપનું કહેવુ છે કે, મસ્જિદની જગ્યા પર પહેલા મંદિર હતું, જે બાદ મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવી. એટલા માટે મસ્જિદમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે. આ લોકોનું કહેવુ છે કે, મસ્જિદ આંજનેય મંદિરને બદલીને બનાવામાં આવી છે અને આ વાતના ઐતિહાસિક પુરાવા પણ છે કે મસ્જિદની જગ્યાએ પહેલા મંદિર હતું.
આ લોકોએ એવું પણ કહ્યું કે, ટીપૂ સુલ્તનાે તેના વિશે પર્શિયા વિરુદ્ધ એક પત્ર લખ્યો હતો. એટલા માટે તેમની માગ છે કે, પુરાત્તત્વ વિભાગ આ દસ્તાવેજોની તપાસ કરે અને તેના પર વિચાર કરે. મંદિરે દાવો કર્યો છે કે, આ લોકોએ મસ્જિદ પરિસરમાં બનાવેલા એક તળાવમાં ન્હાવાની મંજૂરી માગી છે.