કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે, પત્નીને કોઈ પણ જાતના ભાવનાત્મક લગાવ વિના એટીએમ તરીકે ઉપયોગ કરવો માનસિક પ્રતાડિત કરવા બરાબર છે.
કર્ણાટક હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
પતિ-પત્નીના કેસમાં થઈ સુનાવણી
ફેમિલી કોર્ટનો ચુકાદો ફગાવી દીધો
કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે, પત્નીને કોઈ પણ જાતના ભાવનાત્મક લગાવ વિના એટીએમ તરીકે ઉપયોગ કરવો માનસિક પ્રતાડિત કરવા બરાબર છે. કોર્ટે નીચલી કોર્ટના આદેશને રદ કરતા આ મામલે પત્નીને છૂટાછેડા આપવા માટે મંજૂરી આપી દીધી હતી. જસ્ટિસ આલોક અરાધે અને જસ્ટિસ જેએમ ખાઝીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે, પતિએ બિઝનેસ શરૂ કરવાના બહાને પત્ની પાસેથી 60 લાખ રૂપિયા લીધા હતા. તે તેને એક એટીએમ તરીકે ઉપયોગ કરી રહ્યો હતો. તેને પોતાની પત્ની સાથે કોઈ ભાવનાત્મક લગાવ હતો નહીં. પતિના વ્યવહારના કારણે પત્નીને માનસિક આધાત પહોંચ્યો છે. કોર્ટે કહ્યું કે, આ મામલામાં પતિ તરફથી અને પત્નીને આપવામા આવેલા તણાવને માનસિક ઉત્પીડન માનવામાં આવી શકે છે. ફેમિલી કોર્ટે આ તમામ કારણો પર વિચાર કરવામાં નિષ્ફળ રહી છે તે કોર્ટે અરજીકર્તા પત્નીની સાંભળી નહીં અને ન તો તેનું નિવેદન નોંધવામાં આવ્યું.
કોર્ટે મંજૂર કરી છૂટાછેડાની અરજી
બેન્ચે કહ્યું કે, પત્નીની દલીલોને ધ્યાનમાં રાખતા તેમની છૂટાછેડાની અરજી મંજૂરી થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, છૂટાછેડા લેવા જઈ રહેલા દંપત્તિએ 1991માં લગ્ન કર્યા હતા અને 2001માં તેમને એક દિકરી પણ થઈ. પતિને બિઝનેસ હતો, જે ઠપ્પ થઈ ચુક્યો હતો. તેના પર ખૂબ દેવુ હતું. જેને લઈને ઘરમાં મોટા ભાગે ઝઘડાઓ થતાં રહેતા. અરજીકર્તાએ પોતાનું અને બાળકોનું ધ્યાન રાખવા માટે એક બેંકમાં નોકરી કરી, 2008માં પોતાના પતિની મદદ કરવા માટે અમુક રૂપિયા લીધા. જે તેણે કોઈ પણ પ્રકારનું દેવું આપ્યા વગર ખર્ચ કરી નાખ્યા.
પત્નીએ લગાવ્યો આરોપ
આરોપ છે કે, તે રૂપિયા લેવા માટે અરજીકર્તા સાથે ભાવનાત્મક રીતે બ્લેકમેઈલ કરતો રહ્યો હતો. બાદમાં તેને ખબર પડી કે તેના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેની પાસેથી 60 લાખ રૂપિયા લીધા હોવા છતાં પણ પતિ કોઈ કામ નહોતો કરતો. પત્નીના જણાવ્યા અનુસાર, તેણે પોતાના પતિને દૂબઈમાં સૈલૂન ખોલવા માટે આપ્યા હતા. આ બધાથી પરેશાન થઈને પત્નીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જો કે, ફેમિલી કોર્ટે એવું કહીને અરજી ફગાવી દીધી હતી કે, આ મામલામાં કોઈ ક્રૂરતા નથી.