કર્ણાટકના મુખ્યમંત્રી પદના સપથ લેતા પહેલા જેડીએસના નેતા એચડી કુમારાસ્વામીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન કર્ણાટકમાં ગઠબંધનવાળી સરકાર બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક બાદ કુમારાસ્વામીએ જણાવ્યું હતું કે હું ગાંધી પરિવાર પ્રત્યે સન્માન જતાવવા માંગતો હતો એટલે અહી આવ્યો હતો. મેં શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધીને ખાસ આમંત્રણ આપ્યું છે. જેને માન આપીને રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી સમારોહમાં હાજર રહેશે.જો કે નાયબ મુખ્યમંત્રી કોણ હશે તે અંગેનો નિર્ણય કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ કરવામાં આવશે.
I wanted to show my respect & regards to Gandhi family. That's why I came here. I requested them further presence in oath taking ceremony. Both of them agreed to be present at the oath taking ceremony: HD Kumaraswamy Karnataka CM designate after meeting Sonia Gandhi&Rahul Gandhi pic.twitter.com/qK0TlqWZQA
ઉલ્લેખનીય છે કે કુમાર સ્વામીએ આ પહેલા જણાવ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસના પીઢ નેતાઓને મળ્યા બાદ અને ચર્ચા કર્યા બાદ જ તેઓ મંત્રીમંડળ બનાવશે. અને આજરોજ તેમણે માધ્યમો સાથે વાતચીત કરતા જણાવેલ કે મંગળવારના રોજ કર્ણાટકના ઉપ મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે કર્ણાટકના આગામી ઉપમુખ્યમંત્રી કોણ બનશે તે અંગે કુમારસ્વામી પ્રશ્ન પૂછાતા તેમણે જવાબા આપ્યો હતો કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે કર્ણાટકના મહાસચિવ કે.સી.વેણુગોપાલને અધિકાર આપેલ છે તે જ નિર્ણય લેશે તે તમામને સ્વીકાર્ય રહેશે.અને આ મુદ્દે મંગળવારે એક બેઠક મળશે જેમાં નિર્ણય લેવામાં આવશે.