કપ્પા વાયરસથી પીડાતા આ દર્દીની અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
ગુજરાતમાં કપ્પા વાયરસના બે પોઝિટિવ કેસ
અમદાવાદમાં સારવાર દરમિયાન એકનું મોત
મોત બાદ આરોગ્યતંત્ર બન્યુ સતર્ક
ગુજરાતમાં કપ્પા વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ગોધરા પઢીયાર ગામના દર્દીનું સારવાર દરમિયાન મોત થતા ચકચાર મચી ગયો છે. કપ્પા વાયરસથી પીડાતા આ દર્દીની અમદાવાદમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
આરોગ્ય તંત્ર સતર્ક બન્યું
મહત્વનું છે કે કપ્પા વાયરસના કેસ નોંધાયા બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગની ટીમે તકેદારીના ભાગ રૂપે પઢીયાર ગામનો સર્વે પણ કર્યો હતો. આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા 22 વ્યક્તિઓના અને બીજા 36 લોકોના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે. જ્યાં રેપીડ ટેસ્ટમાં એક પણ વ્યક્તિ પોઝિટીવ નથી આવ્યો.
શું છે કપ્પા વાયરસના લક્ષણો?
હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર કોરોનાનું નવુ સ્વરૂપ કપ્પા વેરિએન્ટ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. કપ્પા વેરિએન્ટમાં આ લક્ષણો જોવા મળી શકે છે.
કપ્પા વેરિએન્ટથી પીડિત લોકોમાં ખાંસી, તાવ, ગળામાં ખીચખીચ જેવા લક્ષણો જોવા મળી શકે છે
તેની સાથે જ માઈલ્ડ અને ગંભીર કોરોના વાયરસ જેવા લક્ષણો જેવા પણ લક્ષણો હોય છે.
કઈ રીતે કરશો તેનો બચાવ
કોરોના વાયરસના આ નવા કપ્પા વેરિએન્ટથી બચવા માટે આ કામ કરો
ઘરની બહાર નિકળતી વખતે ડબલ માસ્ક લગાવો
સેનિટાઈઝરનો ઉપયોગ કરો
જરૂર હોય ત્યારે જ ઘરની બહાર નિકળો
ઘરની બહાર નિકળતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
જ્યારે પણ બહારથી ઘરે પરત આવો તો હાથને લગભગ 20 સેકેન્ડ સુધી સારી રીતે ધોવો
બહારથી લાવવામાં આવેલા સામાનને ડિસઈન્ફેક્ટ કરો.
આ બાજુ કોરોનાની ત્રીજી લહેરનો ખતરો
મહત્વનું છે કે દેશના 13 રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો દિવસે-દિવસે વધતો જાય છે. સંભવિત ત્રીજી લહેરને લઈને ડો.મુકેશ મહેશ્વરીએ નિવેદન આપતા કહ્યું, 13 રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં સાવધાની રાખવી જરૂરી છે. પર્યટન, ધાર્મિક સ્થળોએ વધતી ભીડ ગુજરાત માટે ચિંતાજનક બની શકે છે. ડેલ્ટા વેરિઅન્ટથી ચેપ લાગવાની ક્ષમતા 60થી 80 ટકા વધારે છે. હાલ દેશમાં કેરાલા, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે. આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, બંગાળ, ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઝડપથી કોરોના વધી રહ્યો છે.