પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું 66 વર્ષની ઉંમરમાં નિધન થયુ છે ત્યારે કપિલ દેવથી લઇને સમગ્ર ક્રિકેટ જગતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
કપિલ દેવ થયા યશપાલના નિધન પર ભાવૂક
ગાયકવાડ યશપાલને બદામ કહીને સંબોધતા
66 વર્ષની ઉંમરે યશપાલનું થયુ નિધન
કપિલ દેવે કહ્યું કે, મને તો હજુ પણ લાગી રહ્યું છે કે આ સત્ય નથી, અમે ગયા અઠવાડીયે જ મળ્યા હતા તે ખુબ સારા સ્વભાવમાં હવા અને અમે બધા મળીને રમી રહ્યાં હતા. ભગવાનની મરજી છે તેમની સામે આપણે લડી શકીએ નહી.
37 ટેસ્ટ અને 42 વન ડે રમીને યશપાલ 1983માં વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધારે રન બનાવનાર વ્યક્તિઓમાંથી એક હતા. ટ્વિટર પર તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
યશપાલને બદામ કહેતા હતા ગાયકવાડ
અરુણ લાલે કહ્યું કે, તેણે યશપાલ પાસેથી ઘણુ શીખ્યુ છે. અંશુમન ગાયકવાડે કહ્યું કે યશપાલ લાંબા છગ્ગા મારતો હતો. ગાયકવાડે કહ્યું કે, યશપાલ બદામ પલાળીને ખાતા હતા માટે તેમને તે બદામ કહીને બોલાવતા હતા.
પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે કહ્યું કે, શું પ્રતિક્રિયા આપવી તે જ ખબર નથી પડી રહી. આવી ઘટના ઘટશે તેવું ક્યારેય વિચાર્યુ પણ નહોતુ. દિલીપ અને યશપાલે ઘણી મૅચ સાથે રમી છે.
વર્લ્ડ કપમાં શાનદાર ઈનિંગ
શર્માએ 120 બોલ પર 89 રન કર્યા હતા. તેમણે સારા શોર્ટ તો માર્યા જ સાથે સાથે વિકેટની વચ્ચે દોડીને રણ પણ બનાવ્યા. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામે આક્રામક 40 રન હોય અથવા ઈંગ્લેન્ડ વિરૂદ્ધ મુશ્કેલ પરિસ્થિતિમાં રમવામાં આવેલા 61 રનની ઈનિંગ હોય. શર્માએ ટૂર્નામેન્ટમાં 34.28ની સરેરાશથી 240 રન બનાવ્યા. ભારતે છેલ્લા વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો.
દિલીપ કુમારના હતા ફેન
યશપાલ શર્મા દિલીપ કુમારના મોટા ફેન હતા. તેમણે એવું પણ કહ્યું હતું કે દિલીપ કુમારે તેમનુ કરિયર બનાવવામાં મુખ્ય ભુમિકા નિભાવી છે. દિલીપ કુમારે પંજાબમાં રણજીત મેચ જોયા બાદ શર્મા માટે બીસીસીઆઈમાં રાજસિંહ ડુંગરપુર સાથે વાત કરી હતી. યશપાલ શર્મા આ વાત માટે દિલીપ કુમારના આભારી હતા.