બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે પોતાન ઑફિસમાં બીએમસી દ્વારા તોડફોડ મામલામાં સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરી છે. તેનો મતલબ છે કે બીએમસી કંગનાને પૂછ્યા વગર કોઇ જ પગલુ નહી ભરે.
કંગના સુપ્રીમ કોર્ટ તરફ વળી
ઑફિસમાં તોડફોડનો મામલો
બીએમસી પૂછ્યા વગર કંઇ ન કરે : કંગના
હાલમાં જ મુંબઇ હાઇકોર્ટે કંગનાની ઓફિસમાં તોડફોડ કરવા બદલ બીએમસીને ફટકાર લગાવી છે. સાથે જ આદેશ કર્યો છે કે માર્ચ સુધી તે પોતાની રિપોર્ટ કોર્ટને સબમિટ કરે. નુકસાન ભરપાઇ કરવા બાબતે કોર્ટે કોઇ નિર્ણય આપ્યો નથી પરંતુ રિપોર્ટ આવ્યા બાદ આ મુદ્દે કોર્ટ નિર્ણય આપશે. કંગનાના વકીલે તેવો દાવો કર્યો છે તે પ્રોપર્ટીનું 40 ટકા નુકસાન થયુ છે.
કોર્ટમાં કંગનાએ કરેલી અરજીમાં વળતરની માગ કરી હતી અને તેમાં 2 કરોડ રૂપિયા માંગ્યા હતા. જે બાદ ઘણુ ઘમાસાન થયુ હતુ. હવે કંગનાએ સુપ્રિમમાં અરજી કરી છે કે તેને પૂછ્યા વગર કોઇ પણ પગલુ બીએમસી ન ભરે.
કંગનાના નિવેદનો પર હાઇકોર્ટના સવાલ
કંગનાના નિવેદનો પર હાઇકોર્ટે કહ્યું હતું કે, તેમણે આવા વિવાદાસ્પદ નિવેદનો ન આપવા જોઇએ અને જે પણ બોલે તે સમજી વિચારીને બોલવું જોઇએ. કોર્ટે કહ્યું કે વિષય ઑફિસમાં થયેલી તોડફોડનો હતો, ટ્વિટર પર થયેલી વૉર નહી. કંગના દ્વારા અપાયેલા નિવેદનો યોગ્ય નથી પણ હાલ તેના નિવેદનોને નજરઅંદાજ કરી દેવા જોઇએ.
કોર્ટે કહ્યું કે કોઇ પણ વ્યક્તિ મૂર્ખતાપૂર્ણ વાત કરે પરંતુ રાજ્ય દ્વારા સમાજ પર બળનો ઉપયોગ ન કરવો જોઇએ. કોર્ટે સંજય રાઉતે કંગનાને ધમકી આપી રહ્યા છે તે સાહિત્યને વાંચીને બીએમસીની ઝાટકણી કરી હતી.
કોર્ટે માન્યું કે આ દરેક વસ્તુ કંગનાને ધમકાવવાના ઇરાદાથી કરવામાં આવી છે અને બીએમસીનો ઇરાદો સારો ન હતો. કંગનાને આપવામાં આવેલી નોટિસ અને તોડફોડ બંને કંગનાને ધમકાવવા માટે હતી. કંગનાના ઑફિસની તોડફોડની ભરપાઇ કરવા માટે મૂલ્યાંકન કરવામાં આવશે અને આ મૂલ્યાંકનની જાણકારી કંગના તેમજ બીએમસી બંનેને હોવી જોઇએ.