કુતિયાણામાં કાંધલ જાડેજાને NCP મેન્ડેટ નહીં આપતા કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડશે. આથી આ વર્ષે કુતિયાણામાં કોંગ્રેસ, ભાજપ અને કાંધલ જાડેજાનો ત્રિપાંખિયો જંગ જામશે.
કાંધલ જાડેજાને કુતિયાણામાં NCP મેન્ડેટ નહીં આપે
NCP અને કોંગ્રેસ વચ્ચે કુતિયાણા પર નથી થયું ગઠબંધન
પાર્ટીનું મેન્ડેટ ન મળતા કાંધલ કરશે અપક્ષ ઉમેદવારી
વિધાનસભા ચૂંટણી વચ્ચે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ચૂંટણી ટાણે કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થઇ ગયું છે. 3 બેઠકો પર બન્ને પાર્ટી વચ્ચે ગઠબંધન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા બેઠક પર NCP ઉમેદવાર ઉતારશે.
છેલ્લી બે ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણાથી NCPના ધારાસભ્ય
જોકે આ મામલે NCP નેતા જયંત બોસ્કીએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપી હોવાનું જણાવ્યું છે. એટલે કે NCP કુતિયાણામાં પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે. કુતિયાણામાં કાંઘલ જાડેજાને NCP મેન્ડેટ નહીં આપે. કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડશે. મહત્વનું છે કે, છેલ્લી બે ટર્મથી કાંધલ જાડેજા કુતિયાણાથી NCPના ધારાસભ્ય છે. ત્યારે આ વર્ષે કુતિયાણામાં કોંગ્રેસ, ભાજપ અને કાંઘલ જાડેજાનો ત્રિપાંખિયો જંગ થશે.
UPDATE: - જોકે કુતિયાણા બેઠકને લઇને કાંધલ જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, 'મે NCPમાંથી જ ફોર્મ ભર્યું છે. પ્રફુલભાઈના કહેવાથી જ મે ફોર્મ ભર્યું છે.' કાંધલ જાડેજાએ સમર્થકો સાથે જઈને ફોર્મ ભર્યું છે. ઉલ્લેખનીય છે કે, જયંત બોસ્કીએ કુતિયાણા બેઠક પર કોઈ મેન્ડેટ નહીં આપ્યાનું નિવેદન આપ્યું હતું.
તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં વ્યસ્ત
અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે માંડ થોડાં જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ત્રણેય પક્ષો દ્વારા ધડાધડ પોતપોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યાં છે. ભાજપે બંને તબક્કામાં 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે તો કોંગ્રેસે પણ મોડી રાત્રે વધુ 46 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી દીધી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ લગભગ મોટાભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધાં છે.
3 બેઠકો પર NCP પોતાના ઉમેદવાર ઉતારશે
આવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં જ ગુજરાતની ત્રણ બેઠકો માટે કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થયું છે. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં જગદીશ ઠાકોર અને જયંત બોસ્કીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઉમરેઠ-નરોડા-દેવગઢ બારીયા બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડશે. જ્યારે NCP કુતિયાણામાં કાંઘલ જાડેજાને NCP મેન્ડેટ નહીં આપતા કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડશે. જેના લીધે હવે બે પક્ષો અને કાંધલ જાડેજા વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.
એક સમયે કાંધલ જાડેજાએ એકલા હાથે 11 ઉમેદવારોને આપ્યો હતો કારમો પરાજય
કુતિયાણા સીટ પર સતત બે ટર્મથી NCP નેતા કાંધલ જાડેજાએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભાજપ નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન ના હોવા છતાં કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ અને અપક્ષો સહિત 11 જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી લીડથી જીત મેળવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ કાંધલ જાડેજા છેલ્લી 2 ટર્મથી ચૂંટાતા ભાજપ નેતા કરશન ઓડેદરાને તેઓએ જંગી લીડથી હરાવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ એવી શક્યતા સેવાઇ રહી છે કે, કાંધલ જાડેજા ભલે અપક્ષ ચૂંટણી લડે પરંતુ તેમ છતાં કાંધલ જાડેજા કુતિયાણા વિધાનસભા બેઠક પરથી કાંધલ જાડેજા જીતો તો નવાઇ નહીં.
કુતિયાણામાં કાંધલ જાડેજાનો કોઈ વિકલ્પ નહીં!
બીજી આ બેઠકની જો વાત કરીએ તો ભાજપ જો કદાચ 182માંથી 181 બેઠકો જીતી જાય તો પણ તેઓએ કુતિયાણા જીતવા માટે કાંધલ જાડેજાને ભાજપમાં સામેલ કરવો જ પડે. આથી પાર્ટીએ 182 બેઠકો જીતવાનો ટાર્ગેટ સિદ્ધ કરવો હોય તો સૌ પહેલાં અજેય ગણાતી એવી કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજાને ભાજપમાં લેવા પડે. કારણ કે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની જ્યારે વાત આવે ત્યારે સ્થાનિકો હોય કે રાજકીય પંડિત. દરેકના મોઢે એક જ વાત આવે છે કે, કુતિયાણામાં કાંધલ જાડેજાનો કોઈ વિકલ્પ નથી. તમામ સીટોમાં કુતિયાણા એક બેઠક એવી છે કે જ્યાં ભાજપ-કોંગ્રેસ કે AAP કોઈનું ચાલે તેમ નથી.
કુતિયાણા સીટ પર હતો કોંગ્રેસનો દબદબો!
ગુજરાતની સ્થાપના બાદ યોજાયેલ પ્રથમ ચૂંટણીમાં (1962) કોંગ્રેસ પક્ષ જીત્યો હતો. ત્યાર પછીની ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષ (1967) જીત્યો હતો. 1972 અને 1975ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.