ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો ખુલાસો થઇ ચૂક્યો છે જેમાં હત્યાનું ષડયંત્ર સુરતમાં રચાયું હતું. જે મામલે સુરત પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે, હાલ તેમનું વધુ પૂછપરછ માટે અમદાવાદ લવાયા છે. ઉત્તરપ્રદેશ પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડને 24 કલાકમાં ઉકેલી દેવાનો દાવો કર્યો છે. રશીદ પઠાણ નામનો શખ્સ આ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે.
કમલેશ તિવારીની હત્યા પાછળ તેમનું વિવાદિત ભાષણ હોવાનું આવ્યું સામે
કમલેશ તિવારીની હત્યાના આરોપીઓએ ગુનો કબૂલ્યો
મૌલાનાએ સરિયત અને કુરાનનો હવાલો આપી હત્યા માટે ઉશ્કેર્યા હતા
NIA જ હત્યા મામલે તપાસ કરે : સત્યમ તિવારી
કમલેશ તિવારી હત્યા કેસમાં NIA તપાસ કરે તેવી માગ કરવામાં આવી છે. કમલેશ તિવારીના પુત્ર સત્યમ તિવારીએ NIA તપાસ કરે તેવી માગ કરી છે. સત્યમ તિવારીએ સુરક્ષા ગાર્ડ હોવા છતાં કમલેશ તિવારીની હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. આથી જ અન્ય કોઈ પર વિશ્વાસ ન હોવાની વાત કરી છે. તેમજ તંત્ર પર કેવી રીતે વિશ્વાસ રાખી શકાય તેમ પણ તેમણે કહ્યું હતું.
ત્રણ આરોપીઓની ધરપકડ કરાઇ ચૂકી છેઃ યૂપી પોલીસ
યૂપી પોલીસના ડીજીપી ઓપી સિંહે શનિવારે લખનૌમાં એક પ્રસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આ મામલે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. આ ત્રણેય હત્યાકાંડમાં સામેલ હતા. જેમનું નામ રશીદ અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાન છે.
યૂપી પોલીસના જણાવ્યા અનુસાર, રશીદ અહમદને કોમ્પ્યુટરનું ઘણુ જ્ઞાન છે, પરંતુ તે વ્યવસાયે દરજી કામ કરે છે. ધરપકડ કરાયેલ બીજા વ્યક્તિ મૌલાના મોહસિન શેખની ઉંમર 24 વર્ષ છે અને આ શખ્સ એક સાડીની દૂકાનમાં કામ કરતો હતો. ત્રીજા વ્યક્તિનું નામ ફૈઝાન છે અને તેની ઉંમર 21 વર્ષ છે. આ શખ્સ પણ સુરતમાં રહે છે અને તે બુટની દુકાનમાં નોકરી કરે છે.
આરોપીઓએ ગુનો કબૂલ્યો
યૂપીના ડીજીપી ઓપી સિંહે જણાવ્યું કે આ હત્યાકાંડમાં સામેલ શંકાસ્પદોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે હત્યાના ષડયંત્ર પાછળ કમલેશ તિવારીનું 2015નું ભડકાઉ ભાષણ હતું અને મિઠાઈના ડબ્બામાં આરોપીઓએ પકડવા માટે મદદગાર સાબિત થયા. ડીજીપીએ કહ્યું કે, આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ્યો છે.
એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ગુજરાત એટીએસની ટીમે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી લીધી છે.
યુપીમાં હિન્દુસેનાના નેતા કમલેશ તિવારીની હત્યા પાછળ તેમનું વિવાદિત ભાષણ હોવાનું આવ્યું સામે છે. 2015માં કમલેશ તિવારીએ વિવાદિત ભાષણ કર્યું હતું. મહમંદ પયગંબર વિરુદ્વ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ કમલેશ તિવારીની હત્યાનું ષડયંત્ર રચાયું હતું. સુરતના રશીદ પઠાણે હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. 2017માં રશીદ દુબઇ ગયો હતો. 3 મહિના પહેલા રશીદ સુરત પરત ફર્યો હતો. મૌલાના મોહસીન સાથે હત્યાનું ષડયંત્ર રચ્યું છે. મૌલાનાએ સરિયત અને કુરાનનો હવાલો આપી ઉશ્કેર્યા હતા. હત્યા કરવામાં કોઇ પાપ ન હોવાનું મૌલાનાએ કહ્યું હતું. રશીદે તેના ભાઇ મયુદ્દિનને હત્યા કરવા માટે કહ્યું હતું. પરંતુ મયુદ્દિને હત્યા કરવાની ના પાડતા અસફાક હત્યા કરવા તૈયાર થયો હતો. ફૈજાન અને રશીદ મીઠાઇ ખરીદી માટે ગયા હતા. સુરતથી પિસ્તોલ અને છરીની ખરીદી કરી મીઠાઇના બોક્સમાં છુપાવી હતી.
મૌલાના હક અને કાઝમીની પણ ધરપકડ
કમલેશની પત્ની દ્વારા દાખલ કરાયેલ ફરિયાદ બાદ યૂપી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા શુક્રવાર મોડી રાત્રે મુફ્તી નઈમ કાઝમી અને મૌલાના અનવારૂલ હકની ધરપકડ કરી લીધી.