લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા કરનાર શાર્પશૂટર મોઇનુદ્દીન અને અશફાક હુસેનના ગઇ કાલે 6 કલાક સુધી થયેલા ઇન્ટ્રોગેશનમાં તેમને ઘણા ચોકાવનારા ખુલાસા કર્યા છે.
મુસ્લિમ ધર્મ અંગે ટીપ્પણી ન કરે તે માટે બનાવવો હતો વીડિયો
કમલેશ તિવારીની હત્યા રાજનીતિનો એક ભાગ
જેહાદી ષડ્યત્રના ભાગરૂપે હત્કયા કરવામાં આવી
મોઇનુદ્દીન અને અશફાકે લખનૌ પોલીસ, ક્રાઇમબ્રાંચ અને એટીએસ સમક્ષ કબૂલાત કરી છેકે કમલેશ તિવારીની હત્યા કરીને તેનું માથું ધડથી અલગ કર્યા બાદ એક વીડિયો વાઈરલ કરવાનો હતો.
મુસ્લિમ ધર્મ અંગે ટીપ્પણી ન કરે તે માટે બનાવવો હતો વીડિયો
જેથી કરીને કોઇ પણ વ્યકિત મુસ્લિમ ધર્મ અંગે ટીપ્પણી કરતાં દસ વખત વિચાર કરે. જોકે અશફાકના હાથમાં ઇજા થતાં તિવારીનું માથું ધડથી અલગ કરી શક્યા નહીં. આ સિવાય તેમને એજન્સીઓ સમક્ષ એવી પણ કબૂલાત કરી હતીકે કમલેશ તિવારીની હત્યા કરવા માટે તે જતા હતા ત્યારે રસ્તામાં એક દરગાહ હતી. જેમાં બંને જણાએ ઇબાદત કરી હતી.
કમલેશ તિવારીની હત્યા રાજનીતિનો એક ભાગ
કમલેશ તિવારીની હત્યા કરનાર મોઇનુદ્દીન અને અશફાકને યુપી પોલીસ લખનૌ લઇ ગઇ છે ત્યારે અન્ય તમામ આરોપી પણ લખનૌ પોલીસની હિરાસતમાં છે. કમલેશ તિવારીની હત્યા રાજનીતિનો એક ભાગ છે પછી જેહાદી ષડ્યત્રના ભાગરૂપે કરવામાં આવી છે. તે એક મોટો સવાલ ઊભો થયો છે.
બ્રેનવોશ કરીને હત્યા કરવામાં આવી હતી
પોલીસની તપાસમાં કમલેશ તિવારીએ વર્ષ 2015માં મોહમ્મદ પેગંબર વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો બદલો લેવા માટે સુરતથી ઝડપાયેલા કાવતરાખોર રાશિદ પઠાણ, મૌલાના મોહસીન અને ફૈઝાને જ જેહાદી ષડયંત્રના ભાગ રૂપે બંને હત્યારાઓના બ્રેનવૉશ કરી હત્યા કરાવી હતી.