કોરોના વાયરસના પ્રકોપથી બચવા ભારત સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં દેશના ગરીબ લોકોને બે ટાઈમ જમવાના પણ ફાંફા થઈ ગયા છે અને અનેક લોકો બેરોજગાર થઈ ગયા છે. આ વાતને કારણે સાઉથના સુપરસ્ટાર અને પોલિટિશિયન કમલ હસન ચિંતિત છે અને તેમણે એક પત્ર લખીને પોતાની વાત રજૂ કરી છે.
સમગ્ર દુનિયામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર
બોલિવૂડના દિગ્ગજ એક્ટરે કોરોના સંકટમાં
કહી આ વાત
પીએમ મોદીના નિર્ણય પર ઉઠાવ્યો સવાલ
કમલ હસને પોતાના પત્રમાં કહ્યું છે કે, તેઓ દેશને લોકડાઉન કરવાના વડા પ્રધાનના નિર્ણયથી અસંતુષ્ટ છે અને તેમને લાગે છે કે, લોકડાઉન મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી કરતા મોટી ભૂલ છે. કમલે લખ્યું- 23 માર્ચે લખેલાં મારા પત્રમાં મેં વિનંતી કરી હતી કે એવી સ્થિતિ ઊભી ન કરવામાં આવે જેના કારણે દેશના ગરીબોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ બીજા જ દિવસે લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. જેવી રીતે નોટબંધીની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં, અમે તમારા પર અમને તમારા પર વિશ્વાસ હતો. પણ હું ખોટો હતો. અને તમે પણ ખોટા હતા. સમયે તમને ખોટા સાબિત કર્યા.
કમલ હસને કર્યા સવાલો
તમે દેશના નેતા છો અને 1.4 અબજ લોકો તમારી આજ્ઞાનું પાલન કરે છે. આજે વિશ્વમાં બીજો કોઈ એવો નેતા નથી જેની માસ ફોલોઈંગ આટલી હોય. આખો દેશ તમારા પર વિશ્વાસ કરે છે. અમે બધાં તમારી સૂચનાઓનું પાલન કરવા માટે તૈયાર છીએ. હું એક નેતા પણ છું અને એક નેતા તરીકે મને લોકડાઉન વિશે કેટલાક પ્રશ્નો છે.
મને ડર છે કે નોટબંધીથી દેશને જે રીતે નુકસાનનો સામનો કરવો પડ્યો છે તે જ રીતે લોકડાઉનથી પણ થવાનું છે. ગરીબોનું રોજગાર જોખમમાં છે અને તેમની સંભાળ રાખવા માટે બીજું કોઈ નથી. એક તરફ લોકો તમારી સૂચનાઓ પર દીવો પ્રગટાવી રહ્યા છે, જ્યારે ગરીબ દેશમાં એવા ઘણાં લોકો છે કે જેમની પાસે રસોઈ માટે પણ તેલ નથી.
જીડીપીને પણ ધ્યાનમાં રાખવું છે જરૂરી
મધ્યમવર્ગીય પરિવારના લોકો એટલે સલામત છે કારણ કે તેમણે પોતાનાં પાકા મકાનો બનાવ લીધા છે. પરંતુ એવા ઘણાં ગરીબ લોકો છે જે ઝૂપડાઓમાં રહે છે. આ સાથે દેશના જીડીપીને પણ અવગણી શકાય નહીં. ભારતની સૌથી મોટી તાકાત તેની વસ્તી છે. અમે આશા રાખીએ છીએ કે આપણે આ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જઈશું. પરંતુ કંઈક એવું કરવું જોઈએ જેનાથી બધાંનું ભલું થાય. અમને ગુસ્સો છે પરંતુ તેમ છતાં અમે તમારી સાથે ઊભા છે. જય હિંદ.
તમને જણાવી દઈએ કે કમલ હસન એમએનએમ (મક્કલ નિધિ) પાર્ટીના અધ્યક્ષ છે. તેઓ દેશમાં ફેલાતા કોરોના વાયરસના પ્રકોપ વિશે ખૂબ જ ચિંતિત છે અને સોશિયલ મીડિયા પર ઘણીવાર લોકોને કોરોના વાયરસને કારણે ક્વોરંટાઇનમાં રહેવાની વિનંતી કરી ચૂક્યા છે.