રાજ્યસભા સાંસદના શપથ લીધા બાદ જુગલજી ઠાકોર પ્રથમવાર ગુજરાત પહોંચતા છે. ઠાકોર સમાજ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન તેમણે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાને લઇને પણ નિવેદન આપ્યું હતું. મહત્વનું છે કે, રાજ્યસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તેઓ ગુજરાત આવ્યા છે. ત્યારે તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં સમર્થકો એરપોર્ટ પહોંચ્યા હતા.
જુગલજી ઠાકોરે નિવેદન આપ્યું હતું કે પાર્ટી એ મારા પર જે વિશ્વાવ મુક્યો છે તેના પર ખરો ઉતરવા જનતાના બાકી રહેલા કામો કરીશ. ત્યારે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડવાની વાત પર તેમણે કહ્યું હતું કે, જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તો આવકાર છે. હું અને અલ્પેશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સાથે મળી સમાજ અને જનતાના કામો કરીશુ. જોકે તેમણે એમ પણ કહ્યું કે અલ્પેશ ઠાકોર જોડાય તો વાંધો નથી પરંતુ તે અંગે હાઇકમાન્ડ નિર્ણય લેશે.
વધુમાં તેમણે કહ્યું કે, હું ખુબ ખુશી અનુભવું છું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત તમામનો આભાર માનું છું. સમગ્ર ગુજરાતમાંથી મારૂ સ્વાગત કરવામાં આવ્યું તે બદલ આભાર માનું છું.