ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (JP Nadda) સોમવારે બિન હરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી રાધા મોહન સિંહે જેપી નડ્ડાને વર્ષ 2020-22 માટે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કર્યા. નડ્ડાની વિરુદ્ધ કોઇએ પણ નામાંકન દાખલ કર્યું નહોતું, તેથી તેમનું બિનહરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટાવું પહેલાથી જ નક્કી માનવામાં આવતું હતું. નડ્ડા ભાજપમાં અમિત શાહની જગ્યા લેશે.
રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સોમવારે બિન હરીફ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા
જેપી નડ્ડાની સામે વિરુદ્ધ કોઇએ પણ નામાંકન દાખલ કર્યું નહોતું
પીએમ મોદીએ આ અવસરે ભાજપના કાર્યાલયે પહોંચીને કાર્યકર્તાઓને સંબોધન કર્યું
નવા અધ્યક્ષ ચૂંટાયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વીટ કરી લખ્યું કે, મને નથી લાગતું કે અમિત શાહે ભાજપ અધ્યક્ષ તરીકે જે કાર્ય કર્યું તેને શબ્દોમાં કહી શકાશે. તેમની અધ્યક્ષતામાં બીજેપીને દેશના ઘણા ભાગોમાં સેવા કરવાનો અવસર મળ્યો. લોકસભા ચૂંટણીમાં અમને અત્યાર સુધીમાં સૌથી વધારે મત મળ્યા. તેઓ એક ઉત્કૃષ્ટ કાર્યકર્તા છે.
પીએમ મોદીએ આ અવસરે ભાજપના કાર્યાલયે પહોંચીને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, ભાજપે દેશની જનતા અને કાર્યકર્તાઓની અનુરુપ પોતાને ઢાળી છે. પાર્ટીએ પોતાના વિસ્તારની સાથે-સાથે કાર્યકર્તાઓના વિસ્તારનો પણ ખ્યાલ રાખ્યો, આ કારણ છે કે ભાજપને નવી પેઢીનો સહયોગ મળી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે સરકાર અને પાર્ટીની વચ્ચેની મર્યાદા ખતમ થવા દઇશું નહીં.
બીજેપીમાં બિન હરીફ ચૂંટાય છે અધ્યક્ષ
બીજેપીમાં હંમેશાથી અધ્યક્ષ પદની ચૂંટણી સામાન્ય સહમતિ અને બિન હરીફ થતી આવી છે. એવામાં ખૂબ ઓછી સંભાવના હતી કે, આ વખતે પણ પાર્ટીની પરંપરામાં કોઇ બદલાવ જોવા મળે.
I do not think words can do justice to the rich contribution of @AmitShah Ji as @BJP4India President. During his Presidency, BJP got opportunities to serve in several parts of India. We also got our highest ever tally in a Parliamentary election. He is an outstanding Karyakarta.
અમિત શાહે જેપી નડ્ડાને પહેલા પદભાર સોંપ્યો અને બાદમાં મિઠાઇ ખવડાવી. તેના બાદ કંઇ એવુ કર્યું કે ત્યાં હાજર લોકો પણ સ્મિત કર્યા વિના ન રહી શક્યા. અમિત શાહે જેપી નડ્ડાને બેસાડવા માટે ખુદ ખુરશી ખેંચીને આપી. પહેલા તો જેપી નડ્ડાએ શિષ્ટાચારવશ ઇનકાર કર્યો પરંતુ તેઓ અમિત શાહના આગ્રહને ટાળી ન શક્યા.
નોંધનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડા સોમવારે નિર્વિરોધ ભાજપના નવા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. ગત વર્ષે જૂનમાં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ નિયૂક્ત કરવામાં આવેલા નડ્ડા અમિત શાહના નવા અધ્યક્ષ ચૂંટાયા છે. બીજેપીના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી અને ઘણા મંત્રીઓ અને નેતાઓએ સોમવારે નામાંકનની પ્રક્રિયા દરમિયાન નડ્ડાના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
જેપી નડ્ડાનું રાજકીય કરિયર
1993થી લઇને 2002 સુધી હિમાચલ પ્રદેશ વિધાનસભાના સદસ્ય, 1998થી લઇને 2003 સુધી હિમાચલ પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી, 2008થી લઇને 2010 સુધી ધૂમલ સરકારમાં મંત્રી, ઘણા મંત્રાલય સંભાળ્યા, એપ્રિલ 2012માં રાજ્યસભા સાંસદ ચૂંટવામાં આવ્યા, 2014થી લઇને 2019 સુધી મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી, જૂન 2019માં બીજેપીના કાર્યકારી અધ્યક્ષ ચૂંટાયા.