દિવાળીના તહેવારોમાં પ્રવાસન સ્થળો અને દેવ-દર્શને ભારે જનમેદની. કોરોનાકાળની બીજી લહેર બાદ પ્રવાસન-હોટેલ અને નાના ધંધાર્થીઓના ચહેરા પર ખીલી રોનક.
દ્વારકા,સોમનાથ,અંબાજી,આબુમાં હકડેઠઠ ભીડ
દિવાળીના તહેવારોને લઇ ઉમટી પડ્યા પ્રવાસીઓ
બજારમાં ખીલી રોનક,વ્યાપારીઓ પણ ગ્રાહકોથી ગેલમાં
દીપાવલીના તહેવારોમાં નાગરીકો કોરોનાનો છેલ્લા બે વર્ષનો વિષાદ ભૂલી પ્રવાસ-પર્યટનમાં ચઢી ગયા હોય તેમ રાજ્યભરના યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ ભારે ભીડ ઉમટી છે.દિવાળીના તહેવારોને લઈને દ્વારકાધીશ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.દિવાળીને લઈને લોકો મોટી સંખ્યામાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ઉમટી રહ્યા છે.તહેવારોને કારણે દ્વારકાધીશ મંદિરને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.હાલ તો દિવાળી નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.અને મંદિર સહિત સમગ્ર દ્વારકા શહેરમાં હર્ષોઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
માઉન્ટ આબુમાં ભાડાં વધારો નહિ
બીજી તરફ રાજ્ય બહાર રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ દીપાવલી વેકેશનની અસર જોવા મળી રહી છે. ગુજરાતના પર્યટકો અમાજી-આબુની ટૂર પર ત્રણ-ચાર દિવસ માટે નીકળી ગયા છે.પરિણામે, આબુમાં 'જામપેક' જેવી સ્થિતિ સર્જાઈ છે.દેશમાં કોરોનાની વિષમ સ્થિતિ અને બે વર્ષથી રાજસ્થાન પ્રવાસને પણ ભોગવેલી પ્રવાસીઓની તંગીને ધ્યાને લઇ,માઉન્ટ આબુમાં હોટેલ વ્યવસાયીઓ એ હોટેલના ભાડામાં કોઈ જ વધારો કર્યો નથી.માઉન્ટ આબુના પર્યટન સ્થળો પર ભારે ભીડ જોવા મળી છે. આબુ રોડ નગરપાલિકાએ પણ દીપાવલીના પર્વને કારણે,લાઈટીંગની સુંદર વ્યવસ્થા કરી છે.પર્યટકોને કોઈ પણ પ્રકારની મુશકેલી ના પડે તે હેતુસર કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે.
તો બોટાદના સાળંગપુર હનુમાન મંદિરે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.આમ પણ કાળી ચૌદશ અને હનુમાનજીનું શાસ્ત્રોમાં વધુ મહત્વ છે.શાસ્ત્રો કહેછે કે, આ દિવસે હનુમાનજીની આરાધના અને ભક્તિ તમામ સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ આપે છે. દીપાવલીના તહેવારો પૂર્વે જ અહીં આસ-પાસના જિલ્લાઓમાંથી ભારે શ્રદ્ધાળુઓ ઉમટી આવ્યા છે. ચૌદશનું મહાત્મ્ય અને દિવાળી-બેસતું વર્ષ પણ આ જ પ્રમાણે ભાવિકોની ભીડ રહેશે. આજના વિશેષ યજ્ઞનું આયોજન મંદિર દ્વરા કરવામાં વાયુ હતું. જેમાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા સહિત 400 ભક્તો યજ્ઞમાં બેઠા હતા,હનુમાનજી મહારાજની આ વિશેષ યજ્ઞ પૂજાનો લાભ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો.