FMCG સેક્ટરમમાં ઝડપથી આગળ વધી રહેલી પતંજલિએ દેશભરમાં 50 હજાર નોકરીની જાહેરાત કરી છે. કંપનીની જાહેરાત મુજબ આ મહિને જ નિમણૂક કરવામાં આવશે. જાણો તેના વિશે મહત્વની બાબતો.
પતંજલિ તરફથી કહેવામાં આવ્યુ છે કે ફૂડ (લોટ ચોખા જ્યૂસ ઓઇલ બિસ્કિટ) પર્સનલ કેર હોમ કેર અને આસ્થા પૂજા સામગ્રી ડિવિઝન માટે સેલ્મેનની નિયુક્તિ કરવામાં આવશે
કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે આ સિલેક્શન અને ટ્રેનિંગ 23-27 જૂન સુધી થશે. તેના માટે રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 22 જૂન છે.
દરેક જિલ્લામાં 40 થી 50 સેલ્સમેનની નિયુક્તિ કરવામાં આવશે. હોમ ડિલિવરી અને રેડી સ્ટોક સેલ માટે 50 થી 100 લોકોની જરૂરિયાત છે.
કંપની તરફથી જાહેર કરેલી જાહેરાત બાબા રામેદેવ ટ્વિટર પર શૅર કરી છે જેમાં નોકરી માટે યોગ્યતા ઓછામાં ઓછા 12 પાસની છે. આ ઉપરાંત FMCG સેક્ટરમાં 1-2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
सेल्समैन के रुप में कैरियर बनाने का स्वर्णिम अवसर!#पतंजलि के फूड (आटा राइस जूस ऑयल बिस्किट) पर्सनल केयर होम केयर एवं असरदार पूजा सामग्री डिवीजन में सेलेक्शन एवं ट्रेनिंग के लिए पूरे देश के जिला मुख्यालयों पर 23 से 27 जून तक शिविर के लिए आज ही रजिस्ट्रेशन करें #Patanjalipic.twitter.com/hlS60akXhF