ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની બારપેટા જિલ્લાની કોર્ટે એક મહિલા પોલીસ અધિકારી સાથે કથિત રીતે મારપીટના કેસમાં શુક્રવારે જામીન આપી દીધા હતા.
અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો જેલમાંથી છૂટકારો
છૂટ્યા બાદ સરકાર પર કર્યા પ્રહારો
આ બે કેસમાં થઈ હતી ધરપકડ
ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામની બારપેટા જિલ્લાની કોર્ટે એક મહિલા પોલીસ અધિકારી સાથે કથિત રીતે મારપીટના કેસમાં શુક્રવારે જામીન આપી દીધા હતા. જેલમાંથી છૂટ્યા બાદ સોમવારે જિગ્નેશ મેવાણીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે એક પ્રેસ કોન્ફ્રેંસ કરીને કહ્યુ કે, મારી ધરપકડ પાછળ પીએમઓમાં બેઠેલા ગોડસે ભક્તોનો હાથ છે. તેમણે સાઉથની ફેમસ ફિલ્મ પુષ્પા ડાયલોગ બોલાવીને કહ્યું કે, તેઓ આ પ્રકારના દબાણ આગળ ઝૂકશે નહીં, કારણ કે તેઓ ફ્લાવર નહીં ફાયર છે. તેમણે કહ્યું કે, આ વાતની પુરેપુરી શક્યતા છે કે, સરકારે તેમના અને તેમની ટીમના જે સભ્યોનો ફોન અને લૈપટોપ જપ્ત કર્યા હતા, તેમા કંઈક લગાવેલું હોઈ શકે છે.
મેવાણીએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 8થી 10 વર્ષ દરમિયાન 22 પરીક્ષાના પેપર લીક થયા છે. તેની તપાસ નથી થતી. મુંદ્રા પોર્ટ પર 1 લાખ 75 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું, પણ ગૌતમ અદાણીને તપાસ માટે બોલાવામા આવતા નથી. દલિત મહિલા, ભાજપ ધારાસભ્ય પર રેપનો આરોપ લગાવ્યો, પણ આ મામલે કોઈ કાર્યવાહી થઈ નહીં, ભડકાઉ નારા લગાવનારા પર પણ કોઈ કાર્યવાહી નહીં, પણ એક ટ્વિટના કારણે પીએમઓમાં બેઠેલા ગોડસે ભક્તો મારા પર FIR કરાવી દીધી.
કોર્ટે કહ્યું મારા પર કોઈ કેસ બનતો નથી
જિગ્નેશે પોતાની વાત રાખતા કહ્યું કે, કોર્ટે કહ્યું છે કે, મારા પર કોઈ કેસ જ નથી બનતો. જિગ્નેશે પૂછ્યું કે, આખરે મેં ટ્વિટ કરીને ક્યો ગુનો કર્યો છે. એક મહિલાને આગળ ધરીને બીજી FIR પણ કરાવી લીધી. ત્યાં સુધી કે મેંતો ફક્ત મારા ટ્વિટમાં શાંતિની અપીલ કરી હતી. પણ જે બાદ થયું તે જગજાહેર છે.
આવી હતી આખી ઘટના
અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે 20 એપ્રિલે ગુજરાતના બનાસકાંઠામાંથી ધરપકડ કરી હતી. તેમને એક કથિત ટ્વિટ મામલે કોકરાઝાર જિલ્લામાં એક ભાજપના નેતા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ બાદ સવારે ગુવાહટી લઈ જવામાં આવ્યા હતા, જે બાદ 25 એપ્રિલે મેવાણીને કોકરાઝારની એક કોર્ટમાં જામીન મળ્યા હતા, પણ એક મહિલા પોલીસ અધિકારીની ફરિયાદના આધારે બારપેટા જિલ્લામાં દાખલ થયેલી નવી ફરિયાદના આધારે ફરી વાર તેમની ધરપકડ થઈ, મહિલા પોલીસે તેમના મારપીટ અને અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો. જો કે, તે કેસમાંથી પણ તેમને જામની મળી ગયા અને આખરે તેઓ જેલ બહાર આવ્યા અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તથા આસામ સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા.