મનરેગા કૌભાંડ મામલે આજે વિધાનસભામાં જીગ્નેશ મેવાણીએ ગુજરાત સરકાર પર આક્ષેપ લગાવ્યા હતા અને ચેલેન્જ આપી હતી કે મારી પાસે મનરેગા કૌભાંડના પુરાવા છે જો મને મોકો મળશે તો હું તે સાબિત કરી શકું તેમ છું.
મનરેગા કૌભાંડ મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોટા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે મનરેગામાં રાજ્યવ્યાપી 250 કરોડથી વધુનું કૌભાંડ છે. મને ગૃહની અંદર 10 મિનિટ આપે તો હું કૌભાંડના પુરાવા આપવા માટે તૈયાર છુ.
મનરેગા માત્ર યોજના નથી પણ એક કાયદો
મૃતક,જેલના કેદી,બાળકોના નામે પૈસા જમા કરાવવામાં આવ્યા છે. નિર્લીપ્ત રાય અને સુધા પાંડેના અધ્યક્ષ સ્થાને તપાસ થાય તો કૌભાંડનો ભાંડો ફૂટી શકે છે. મેવાણીએ વિપક્ષ અંગે ટિપ્પણી કરતા કહ્યું રકે, કોંગ્રેસે પણ મનરેગા મામલે સ્ટેન્ડ લેવું જોઈએ. કારણ કે, મનરેગા માત્ર યોજના નથી પણ એક કાયદો છે જેને યૂપીએ સરકાર દ્વુારા પસાર કરવામાં આવ્યો છે.