હેમંત સોરેનની આગેવાનીમાં ઝારખંડ મુક્તિ મોરચા (JMM), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દલ (RJD)નું મહાગઠબંધન ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામમાં આગળ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ સોમવારે કહ્યું કે, જનાદેશ સત્તારૂઢ ભાજપ અને રાજ્યમાં તેની નીતિઓની વિરુદ્ધ છે.
ઝારખંડમાં બીજેપી વિરુદ્ધ જનતાનું મતદાન
ભાજપ સરકાર પ્રતિ લોકોનો ગુસ્સો દેખાઇ રહ્યો છે : ખડગે
જનાદેશ સત્તારૂઢ ભાજપ અને રાજ્યમાં તેની નીતિઓની વિરુદ્ધ છે
પાર્ટીના કાર્યાલય ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ખડગેએ કહ્યું, 'આ એક સારુ પરિણામ છે અને ભાજપ સરકાર પ્રતિ લોકોનો ગુસ્સો દેખાઇ રહ્યો છે.'
તેઓએ કહ્યું કે, ઝારખંડમાં જનતા ભાજપ સરકારથી હેરાન થઇ ગઇ હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું, કેન્દ્રમાં પણ, લોકો મોંઘવારી, બેરોજગારીને લઇને હેરાન છે. આ ઉપરાંત ખેડૂતો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ તમામ બાબતોએ કોંગ્રેસ અને તેના ગઠબંધન સાથી (જેએમએમ અને રાજદ) ને મદદ કરી છે. આ સંદર્ભમાં જનતાએ કોંગ્રેસ અને તેના ગઠબંધન માટે મતદાન કર્યું.
ખડગેએ આ ટીપ્પણી, તેમના મહાગઠબંધન દ્વારા 81 સદસ્ય વાળી વિધાનસભામાં 42 બેઠકો પર આગળ ચાલવા દરમિયાન આવી છે. JMM 24 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ અને રાજદ ક્રમશ: 13 અને 5 બેઠકો પર આગળ ચાલી રહી છે.