ઝારખંડમાં 22 થી 29 એપ્રિલ સુધી ટોટલ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
ઝારખંડમાં 22 થી 29 એપ્રિલ સુધી ટોટલ લોકડાઉન
મુખ્યમંત્રી હેમંત સોરેને કરી જાહેરાત
ઝારખંડ સરકારે લોકડાઉનમાં કેટલાક છૂટછાટો પણ આપી
જરુરી વસ્તુઓને બાદ કરતા બાકીના તમામ દુકાનો બંધ રહેશે
મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં 1 અઠવાડિયાની લોકડાઉનની જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની ચેઈન તોડવી અત્યંત જરુરી છે. તેથી રાજ્યમાં આરોગ્ય સુરક્ષા અઠવાડિયા માટે નિર્ણય લેવાયો છે. આ નિર્ણય 22 એપ્રિલ સવારના 6 થી 29 એપ્રિલ સવારના 6 સુધી લાગુ રહેશે. તમને બધાને અપીલ છે કે કૃપા કરીને નિયમોનું કડકાઈથી પાલન કરો.
राज्य में बढ़ते कोरोना संक्रमण की Chain को तोड़ना नितांत आवश्यक है। इसलिए राज्य में 'स्वास्थ्य सुरक्षा सप्ताह' हेतु निर्णय लिया गया है। यह 22 अप्रैल सुबह 6 बजे से 29 अप्रैल सुबह 6 बजे तक लागू होगा। आप सभी से अपील है कृपया नियमों का कड़ाई से पालन करें।
ઝારખંડ સરકારે લોકડાઉનમાં કેટલાક છૂટછાટો પણ આપી છે. જરુરી વસ્તુઓને બાદ કરતા બાકીના તમામ દુકાનો બંધ રહેશે. કારણ વગર લોકો ઘરની બહાર નહીં જઈ શકે. ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે. ભારત સરકાર અને રાજ્ય સરકારના મહત્વના કાર્યાલયોને બાદ કરતા બાકીના તમામ કાર્યાલયો બંધ રહેશે.
મહારાષ્ટ્રમાં પણ નવા પ્રતિબંધો જાહેર કરાયા
બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ નવા પ્રતિબંધો જાહેર કરાયા છે. રાજ્યમાં કરિયાણાની અને શાકભાજી તથા ફળની દુકાનો સવારના 7 થી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે. સરકાર દ્વારા જારી નવા ઓર્ડરમાં કહેવાયું કે તમામ કરિયાણાની દુકાનો, શાકભાજીની દુકાનો, ડેરી, બેકરી, મીઠાની દુકાનો, ખાદ્ય પદાર્થ વેચતી તમામ દુકાનો (ચિકન, મટન, પોલ્ટ્રી,માછલી,ઈંડા સહિત), ખેતીના સાધનો, કૃષિ ઉપજ સંબંધિત દુકાનો, પશુદાણની દુકાનો સવારના 7 થી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે.જે દુકાનો પર પ્રતિબંધ લગાડાયો છે તેઓ સવારના 7 થી રાતના 8 ની વચ્ચે હોમ ડિલિવરી કરી શકે છે.
મંગળવારે, મહારાષ્ટ્રના સૌથી મોટા કોવિડ રસીકરણ કેન્દ્રમાં ડોઝ ખૂટી પડતાં સેન્ટરને બંધ કરવાની નોબત આવી છે. ત્યાં રસી લેવા ગયેલા વરિષ્ઠ નાગરિકો નિરાશ થયા હતા અને રસી લીધા વિના પાછા ફર્યા હતા.