તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ઘણા સમયથી દયાબહેનની વાપસીની વાત થઇ રહી છે પરંતુ હાલમાં એવું થયુ છે કે દયાબેને જેઠાલાલની કાન પકડીને માફી માંગી છે.
દયાબેન પરત ફરશે ગોકુલધામમાં
જેઠાલાલની માંગે છે કાન પકડીને માફી
બાપૂજી પણ આ ખબરથી થાય છે ખુશ
શોમાં થોડા સમય પહેલા ટેલીકાસ્ટ થયેલા એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે જેઠાલાલ બબિતાજીને એક પત્ર વાંચીને સંભળાવે છે તેના અંતમાં લખ્યું હોય છે આઇ લવ યુ. જેઠાલાલ બબિતાને આઇ લવ યુ કહેતા સાંભળી જાય છે અને જેઠાથી નારાજ થઇ જાય છે. ત્યારે જેઠાલાલ બાપૂજીને પત્રવાળી વાત કહે છે અને મામલો ત્યાં જ પૂર્ણ થઇ જાય છે. દર્શકોને આ એપિસોડ ખુબ જ પસંદ આવ્યો હતો.
સુંદર લાવે છે દયાનો મેસેજ
હવે શોના હાલના એપિસોડમાં જ બતાવ્યું છે કે જેઠાલાલનો સાળો સુંદર જ તેના માટે એક ખુશખબરી લઇને આવે છે. તમને સૌને જેઠાની કિસ્મત તો ખબર જ છે કે કોઇ પણ પ્રસંગ હોય જેઠાની લાઇફમાં ગ્રહણ લાગી જ જાય છે. પાર્ટી થઇ રહી હોય છે અને ચાલતી પાર્ટીમાં જ જેઠાલાલથી સુંદરના એક મિત્રનો ફોન તૂટી જાય છે.
દયા માંગે છે જેઠાની માફી
ફોન તૂટ્યા બાદ જેઠાલાલ એક વાર ફરી મુસીબતમાં ઘેરાયેલો નજર આવે છે અને સુંદરની માફી માંગે છે. સુંદર ગુસ્સામાં હોય છે પરંતુ તે તેના મિત્રને કહે છે કે તું ચિંતા ન કરીશ જીજાજી તને નવો ફોન લઇ આપશે. આ બધા વચ્ચે ખુશીની વાત છે કે સુંદર સમગ્ર પરિવાર માટે દયાબેનનો મેસેજ લઇને આવે છે.
સોશ્યલ મિડીયા પર શૅર કર્યો શોનો પ્રોમો
સોશ્યલ મિડીયા પર આ પ્રોમો શૅર કરવામાં આવ્યો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે સુંદર જેઠાલાલ અને પરિવાર માટે ખુશખબર લઇને આવે છે અને દયાબેનનો લેટર તેને આપે છે. લેટરમાં દયાબેન જેઠાલાલ ટપૂ અને બાપૂજીની માફી માંગે છે અને તે ખૂબ જલ્દી જ ગોકુલધામ સોસાયટીમાં પરત ફરશે. જે બાદ જેઠાલાલની ખુશીનું ઠેકાણુ નહી રહે.