આજે ખાતર તેમજ તુવેર અને મગફળી મુદ્દે સરકારના બે મંત્રીઓએ પ્રેસકોન્ફરન્સ કરી ખુલાસો કર્યો. કૃષિમંત્રી આર.સી. ફળદુએ ખાતર મુદ્દે GSFCનો બચાવ કરતાં કહ્યું કે GSFC 57 વર્ષ જૂની કંપની છે. કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહી છે.
બોરીમાં 1 ટકા ખાતરની ઘટ
તો ફળદુએ એ પણ સ્વીકાર્યું કે ખાતરની બોરીમાં 1 ટકા ખાતરની ઘટ છે. જ્યારે પૂરવઠા મંત્રી જયેશ રાદડિયાએ તુવેર અને મગફળીકાંડ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું કે કેશોદ માર્કેટિંગ યાર્ડમાં તુવેર જથ્થા મુદ્દે સરકારે કાર્યવાહી કરી છે.
34 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં થશે જમાં
3 હજારથી વધુ બોરી સિઝ કરવામાં આવી છે. તો 8 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.તો ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થવા મુદ્દે પણ રાદડિયાએ કહ્યું કે 30 કરોડ રૂપિયા ટુંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. કોઈ પણ ખેડૂતોનુ પેમેન્ટ બાકી નથી. અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 150 કરોડ જમા થઈ ગયા છે.