અમદાવાદઃ જયંતિ ભાનુશાળી હત્યા મામલે હત્યાના તાર છબીલ પટેલ સુધી પહોંચ્યા છે. CID ક્રાઇમે કુલ 3 આરોપીની ધરપકડ કરી છે. છબીલ પટેલના ફાર્મ હાઉસથી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. મનીષા ગૌસ્વામીએ જ હત્યા કરાવી હોવાની આશંકા સેવાઇ રહી છે. સુરજીત ભાઉ પણ હત્યાકેસમાં હોવાનું સામે આવ્યું છે. CD કાંડના કારણે હત્યા કરાઇ છે.
મનિષા ગોસ્વામીની અટકાયત બાદ પણ હત્યાનો ભેદ ઉકેલાયો નથી ત્યારે હવે જયંતિ ભાનુશાળી હત્યા મામલામાં નવો વળાંક આવ્યો છે. હત્યારાઓની કડી છબીલ પટેલ સુધી પહોંચી છે. શાર્પ શુટરો છબિલ પટેલના ફાર્મ પર રોકાયાનો ઘટસ્ફોટ થયો હતો. છબીલ પટેલના ફાર્મના માણસોએ શાર્પ શુટરના ફોટો ઓળખી બતાવ્યો હતો.
પોલીસની તપાસમાં છબીલના ફાર્મના માણસોએ શાર્પ શુટનો ફોટો ઓળખ્યો હતો. ઘટસ્ફોટ બાદ પોલીસની તપાસ છબિલ પટેલ પર ક્રેન્દ્રીય થઇ હતી. ત્યાર બાદ હવે CID ક્રાઇમ દ્વારા 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.
જોકે ભાનુશાળીની હત્યાનો મામલે CID ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સમાં મોટા ખુલાસા કરી શકે છે.
મહત્વનું છે કે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યાને 16 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ થઈ ન હતી. જેના કારણે ભાનુશાળી સમાજના લોકો આક્રોશમાં હતા. જેના વિરોધમાં ભાનુશાળી સમાજના વિવિધ સંગઠનો દ્વારા ભુજમાં વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.