26મી જાન્યુઆરી માટે દેશના સર્વોષ્ઠ એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતના 7 લોકોને પદ્મશ્રી એવોર્ડ માટે જાહેરાત કરવામાં આવી છે. જેમાં જાંબુર ગામના હીરાબાઈ લોબીના પહ્મ શ્રી એવોર્ડ નામની જાહેરાત કરવામાં આવી છે. હેમંત ચૌહાણને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાશે. ભાનુભાઈ ચિતારાને કલમ કારીગરી માટે અને પરેશ રાઠવાને પીઠોરા આર્ટ માટે પદ્મશ્રી એવોર્ડ મળશે. તમને જણાવી દઈએ કે, કુલ 26 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરાશે.
Padma Awards 2023 | ગુજરાતનું ગૌરવ: જાંબુર ગામના હીરાબાઈ લોબીને મળ્યો પહ્મ શ્રી એવોર્ડ, સિદ્દી સમાજની સોશિયલ વર્કર અને આગેવાન તરીકે નામના ધરાવે છે, જેમણે ગુજરાતમાં સિદ્દી કોમના વિકાસ માટે આગવું યોગદાન આપ્યું છે#padmaawards2023#RepublicDay2023#vtvgujaratipic.twitter.com/9ThFMU9uvx
જાંબુર ગામના હીરાબાઈ લોબીને પહ્મ શ્રી એવોર્ડ મળશે
ગુજરાતનું ગૌરવ અને જાંબુર ગામના હીરાબાઈ લોબીને પહ્મ શ્રી એવોર્ડ મળશે જેઓ સિદ્દી સમાજની સોશિયલ વર્કર અને આગેવાન તરીકે નામના ધરાવે છે, જેમણે ગુજરાતમાં સિદ્દી કોમના વિકાસ માટે આગવું યોગદાન આપ્યું છે.
કોણ છે હીરાબાઈ લોબી?
હીરાબાઈ લોબીનું ગરીબ પરિવારમાં જન્મ થયો છે, જેઓએ પંદર વર્ષની ઉમંરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તેમનું ભરણપોષણ દાદીએ જ કર્યું હતું. તેમણે રેડિયો સાંભળી સેન્દ્રીય ખાતર બનાવવાની પધ્ધતિ ધ્યાને લઈ તે દિશામાં કામ કર્યું છે. તેમણે 11 જેટલી મહિલા સહકારી પેઢીઓ શરૂ કરી મહિલાઓને મદદરૂપ થયા છે. હીરાબાઈએ સમાજમાં બદલાવ લાવવાના એજન્ટો તરીકે મહિલાઓ પર વિશ્વાસ રાખવાનું વધુ પસંદ કરે છે.