નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના ગગનભેદી નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દેશભરમાં કરવામાં આવી હતી. કોરોના સંકટ વચ્ચે દેશના મોટાભાગના મંદિરો ભક્તો માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ભક્તોએ કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઇન દર્શન કર્યા હતા.
કૃષ્ણ જન્મોત્સવની ઠેરઠેર ઉજવણી
ઇતિહાસમાં પ્રથમવાર ભક્તો વિના જન્માષ્ટમીની ઉજવણી
કોરોનાકાળ વચ્ચે સાદગીપૂર્વક મંદિરોમાં ઉજવણી
ઉલ્લેખનીય છે કે, ભગવાન શ્રી કૃષ્ણનો 5,247મો જન્મદિવસ છે. જેની ઉજવણીમાં સમગ્ર દેશ હિલોળે ચડ્યો છે. મથુરા, દ્વારકા, ડાકોર, શામળાજી સહિત અનેક સ્થળોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા.
પ્રથમ વખત ભક્તો વગર જન્માષ્ટમીની ઉજવણી
આપને જણાવી દઇએ કે, સમગ્ર વિશ્વમાં હાલ કોરોના સંકટ મંડરાયેલું છે ત્યારે પ્રથમ વખત એવી ઘટના બની હતી કે, નંદ નંદનના વધામણા ભક્તો વગર જ કરવામાં આવ્યા હતા, મોટા ભાગના મંદિરોએ ભક્તોને ઘરે બેઠાં જ લાઇવ આરતી અને જન્મોત્સવના દર્શન કરવાની અપીલ કરી છે. તો ભક્તોનો જન્મોત્સવનો પુરો લાભ ઘરે બેઠાં મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.