જામનગર: દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને આરોગ્ય સાથે ચેડા કરતાં વિક્રેતાઓ સામે જામનગર ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ સતત બીજા દિવસે નામાંકિત મીઠાઇના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન અલગ અલગ મીઠાઇના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતાં. તેને તપાસ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય શાખાની કામગીરીને લઈને વિક્રેતાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.
મહત્વનું છે કે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ સતત બીજા દિવસે શહેરના નામાંકિત મીઠાઇના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી.
તંત્રના જણાવ્યા અનુસાર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી નામાંકિત મીઠાઇની દુકાનોમાં પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ જગ્યા પરથી નમુના લઇ પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. દિવાળી સુધી આ કામગીરી ચાલુ રહેશે.