જામનગરના સીદસરમાં ઉમિયા માતાજીના પ્રસંગમાં કોંગ્રેસના ધારાસભ્ય, CM ભૂપેન્દ્ર પટેલને પગે લાગ્યા હતા, MLA ચિરાગ કાલરિયાની પહેલી જ ભાજપમાં જોડાવવાની અફવાઓએ જોર પકડયું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય CMને પગે લાગ્યા
ચિરાગ કાલરિયા CMને પગે લાગ્યા
"હું ભાજપમાં જોડાવાનો છું તેવી અફવાઓ"
જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય મુખ્યમંત્રીને પગે લાગ્યા.સીદસર ખાતે કાર્યક્રમમાં ચિરાગ કાલરિયા CMને પગે લાગ્યા હતા.કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઇ છે તેવી અફવા વચ્ચે નવા સમીકરણ રચાયા છે.જોકે પગે લાગ્યા બાદ ચિરાગ કાલરિયાનું વિપરીત નિવેદન સામે આવ્યું છે.ચિરાગ કાલરિયાએ કહ્યું કે, હું ભાજપમાં જોડાવાનો છું તેવી અફવાઓ છે.મુખ્યમંત્રી મારા વડીલ છે માટે મેં આશીર્વાદ મેળવ્યા હતા.નરેશભાઇ કોંગ્રેસમાં જોડાય તો આવકારીએ છીએ શીર્ષ નેતૃત્વ જોડે વાતચીત ચાલે છે.
ચિરાગ કાલરિયાએ કરી ચોખવટ
મુખ્યમંત્રી સીદસરમાં એક આગેવાન તરીકે આવ્યા હતા માટે મૈ તેમનું સન્માન કર્યું હતું. તેઓ મારા સમાજના વડીલ છે મારા પિતા તુલ્ય મહેમાન છે. તેથી મૈ પગે પડી તેમના આશીર્વાદ લીધા હતા. ભાજપમાં જોડાવાની વાતો એ માત્ર અફવા છે રાજ્યસભા વખતે પણ આવી વાતો જ ઉડી હતી. કોઈ ભાજપ તરફથી આમંત્રણ અપાયું નથી અને આપે તો જવાનો પણ નથી તેવો સ્પષ્ટ મત પણ તેઓએ રજૂ કર્યો હતો. સાથે નરેશ પટેલના પ્રશ્નના જવાબમાં ચિરાગ કાલરિયાએ કહ્યું હતું કે કોઈ સમાજના આગેવાન જો કોંગ્રેસમાં જોડાય તો તે પક્ષ માટે સારું છે. કોંગ્રેસ દરેકને સાથે લઈ ચાલે છે.
હિમોગ્લોબિનની ગોળીથી કરાઈ તુલા
સિદસર ધામ પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમિયા માતાજીનાં દર્શન કર્યા હતા. સીદસરમાં મુખ્યમંત્રીની હિમોગ્લોબિનની ગોળીથી તુલા કરાઈ હતી. CM ભૂપેન્દ્ર પટેલની 1.50 લાખ હિમોગ્લોબીન ગોળીથી તુલા કરાઈ હતી. તેના બાદ હિમોગ્લોબિનની ગોળી મહિલાઓમાં વિતરણ કરાશે.
દવાથી જો કોઈને તોલવામાં આવ્યા હોય તો હું પહેલો માણસ
આ પ્રસંગે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દવાથી જો કોઈને તોલવામાં આવ્યા હોય તો હું પહેલો માણસ છું. સાથે જ કહ્યું કે, સિદસર ઉમિયાધામના વિકાસ માટે રાજ્ય સરકારે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વધુ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી. આ સાથે જ તેમણે કહ્યુ કે, ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલો આ સમાજ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રાકૃતિક ખેતીની વાત કરી છે.
ઉમા કળશ યોજનાનો કરાવ્યો પ્રારંભ
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સિદસર ખાતેથી ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રૂ.2000 કળશમાં દાન આપ્યું હતુ. આ પ્રસંગે કડવા પાટીદાર અગ્રણીઓ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.