જમ્મુ-કાશ્મીરની સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકત ચાલુ છે. પૂંછમાં પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. આ ફાયરિંગમાં ગોળીબારને કારણે એક નાગરિકનું મોત નીપજ્યું છે. એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાને આઈબી પર સાત કલાક ફાયરિંગ કર્યુ
હાલ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
આ ફાયરિંગમાં એક નાગરિકનું મોત
પાકિસ્તાને પૂંચ જિલ્લાના બાલાકોટ અને મેંધર સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ. જોકે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. જોકે પૂંછના બાલાકોટ તાલુકામાં એક ગામમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને અન્ય એકને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને તેમને રાજૌરી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાને આઈબી પર સાત કલાક ફાયરિંગ કર્યુ
અગાઉ પાકિસ્તાને ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર (આઈબી) પર હિરાનગર, કઠુઆમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ અને મંગળવારે રાત્રે 10:30 થી સાંજના 5 સુધી ભારતીય સરહદ પર ફાયરિંગ કર્યુ હતુ. પાકિસ્તાન 25 ચેનાબ રેન્જર્સે પપ્પૂ ચેક અને જગુવાલ પોસ્ટથી બીએસએફની ચાંદવા અને કોઠા પોસ્ટ્સને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાની સેનાએ આશરે સાત કલાકના ગોળીબારમાં મોર્ટાર અને અન્ય હથિયારોથી શેલ ફાયરિંગ કરીને રહેણાંક વિસ્તારોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. સરહદ પર ચાલતા સુરક્ષા ડેમના કામમાં વિક્ષેપ લાવવા માટે પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે. સરહદ સુરક્ષા દળના જવાનોએ પણ પાકિસ્તાની સેનાના આ નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો હતો. જો કે, આ ઘર્ષણમાં કોઈ જાનહાનીની હાનિ નોંધાઈ નથી.