5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મનુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી બાદ એવું કહેવામાં આવતું હતું ત્યાં હવે બહારના લોકો પણ સંપત્તિ ખરીદી શકશે, જે પહેલા શક્યુ નહોતું.
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ સંપત્તિ ખરીદવાનો હક
બહાર લોકો પણ હવે ખરીદી શકે છે સંપત્તિ
આર્ટિકલ 370 હટ્યા બાદ કેટલાય લોકોએ ખરીદી સંપત્તિ
5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મનુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી દેવામાં આવી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે ત્યારે માન્યું હતું કે, તેનાથી રાજ્યોમાં ઝડપી વિકાસ થશે. હવે વિકાસ માટે જમ્મુ કાશ્મીરમાં કંપનીઓને જગ્યા શોધી રહી છે. હાલમાં જ સંયુક્ત અરબ અમીરાતના એક વ્યાપારી પ્રતિનિધિમંડળે કશ્મીરનો પ્રવાસ કર્યો હતો. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાંનદ રાયે જણાવ્યું હતું કે, જ્યારે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે, ત્યારથી રાજ્યની બહારના 34 લોકોએ સંપત્તિ ખરીદી છે. નિત્યાનંદ રાયે લોકસભામાં એક સવાલના જવાબમાં આ વાત કહી હતી.
નિત્યાનંદ રાયે લોકસભામાં બહુજન સમાજપાર્ટીના નેતા હાઝી ફઝલુર રહમાનના સવાલનો વિસ્તારથી લેખિ તમાં જવાબ આપ્યો હતો. રહમાને પૂછ્યું હતું કે, શું સરકાર એ જણાવશે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 3740 હટાવ્યા બાદ બહારના કેટલાય લોકોએ ત્યાં સંપત્તિ ખરીદી છે.
પહેલા જમીન ખરીદી શકતા નહોતા
નિત્યાનંદ રાયે લેખિત જવાબમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવામાં આવેલી જાણકારી મુજબ અનુચ્છેદ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરથી બહારના 34 લોકોએ ત્યાં સંપત્તિ ખરીદી છે. ખરીદી કરવામાં આવેલી સંપત્તિ જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં આવેલી છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા પહેલા એટલે કે, 5 ઓગસ્ટ 2019 પહેલા રાજ્યને વિશેષ દરજ્જો મળેલો હતો અને તે અંતર્ગત જમ્મુ કાશ્મીરમાં ફક્ત સ્થાનિક નિવાસીઓ જ સંપત્તિ ખરીદી શકતા હતા. રાજ્યની બહારના કોઈ લોકો જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતા નહોતા. પણ 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી અને રાજ્યને બે ભાગમાં વહેંચી નાખ્યા. એક જમ્મુ કાશ્મીર અને બીજૂ લદ્દાખ. બંને રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા છે.
સંપત્તિ ખરીદવાના કાયદામાં ફેરફાર
અનુચ્છેદ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે જમીન અને સંપત્તિ ખરીદવાના કાયદામાં ફેરફાર કર્યો હતો. ત્યાર બાદ બંને રાજ્યો માટે જમીન અને સંપત્તિ ખરીદવા માટે એક નવો કાયદો બનાવ્યો જે અંતર્ગત રાજ્યની બહારના ભારતીય ખાસ મંજૂરી સાથએ રાજ્યમાં જમીન અથવા સંપત્તિ ખરીદી શકશે. સરકારનું કહેવુ છે કે, રાજ્યમાં મોટા પાયે ટૂરિઝ્મને પ્રોત્સાહિત કરવા માટે રોકાણ જરૂરી છે. તેના માટે કંપનીઓને અહીં જમીન ખરીદવાની મંજૂરી આપવામાં આવે. જ્યારે અહીં કંપનીઓ હોટલ ખોલશે તો, પર્યટકોથી રાજ્યનું ભરણ પોષણ થશે અને લોકોને રોજગાર મળશે.