જમ્મુ કાશ્મીર પ્રશાસને કશ્મીરી પંડિતોને તેમના ટ્રાંજિટ કેમ્પમાં પુરી દીધા છે અને તેમને બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
જમ્મુ કાશ્મીરમાં કશ્મીરી પંડિતોની દર્દભરી કહાણી
ટ્રાંજિટ કેમ્પમાં પુરાઈ રહ્યા છે પંડિતો
બહાર નિકળવા પર પ્રતિબંધ
જમ્મુ કાશ્મીર પ્રશાસને કશ્મીરી પંડિતોને તેમના ટ્રાંજિટ કેમ્પમાં પુરી દીધા છે અને તેમને બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કેમ કે, આ સમુદાયના લોકોના ટાર્ગેટ કિલિંગને ધ્યાનમાં રાખીને મોટા પાયે ધમકી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીના વિશેષ પેકેજ અંતર્ગત નિયોજિત લગભગ 4000 કશ્મીરી પંડિતોએ કાલે ધમકી આપી હતી કે, જો પ્રશાસને તેમને 24 કલાકની અંદર સુરક્ષિત જગ્યા પર પહોંચાડ્યા નહીં, તો તેઓ ઘાટી છોડી દેશે.
વધું એક કશ્મીરી પંડિતની હત્યા
જમ્મુની એક હિન્દુ સ્કૂલ શિક્ષિકા રજની બાલાની કાલે કુલગામ જિલ્લામાં શાળાની બહાર આતંકવાદીઓએ હત્યા કરી નાખી હતી. આ હત્યાના થોડા દિવસ પહેલા જ કશ્મીરી પંડિતોના વધુ એક સભ્ય રાહુલ ભટ્ટની ગત મહિને બડગામમાં મજિસ્ટ્રેટ કાર્યાલયની અંદર ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
કશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન
એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર ,આજે કેટલીય જગ્યા પર પ્રવાસી પંડિતોના ટ્રાંજિટ કેમ્પને સીલ કરી દેવામાં આવ્યા છે. શ્રીનગરના ઈંદ્રા નગર પડોસમાં જ્યાં સમુદાયના અમુક કર્મચારીઓ રહે છે, ત્યાં પોલીસે એન્ટ્રી પોઈન્ટ્સને બ્લોક કરી દીધો છે અને કોઈ પણ કશ્મીરી પંડિતને બહાર આવવાની મંજૂરી આપી નથી. સૌથી મોટા ટ્રાંજિટ કેમ્પમાંથી એક વેસૂ પંડિત કોલોનીમાં, સૈંકડો કશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું અને ન્યાય તથા ઘાટીથી બીજી જગ્યા પર પુનર્વાસની માગ કરતા નારા લગાવ્યા હતા.