જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે આતંકી હુમલા થયો હતો. લાલ ચોકના મૈસુમામાં થયેલા આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા હતા.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો
સીઆરપીએફના બે જવાન ઘાયલ
એક જવાન થયાં શહીદ
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે આતંકી હુમલા થયો હતો. લાલ ચોકના મૈસુમામાં થયેલા આ હુમલામાં સીઆરપીએફના બે જવાન ઘાયલ થયા હતા. તેમાંથી એક જવાન શહીદ થઈ ગયા છે. આ ઉપરાંત વિગતો આવી રહી છે કે, આતંકીઓએ પુલવામાંમાં સ્થાનિક લોકોને પણ ટાર્ગેટ બનાવ્યા છે. ઘાયલોને લઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, રવિવારે જ સેનાએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખાની પાસેના ગામમાં મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યા હતા.
J&K | An attempted infiltration bid by Pakistani terrorists in Naushera, Rajouri was eliminated by the Indian Army on the night of 3-4 April. The body of one terrorist along with arms & ammunition was recovered. Operation underway: White Knight Corps
જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સોમવારે આતંકવાદીઓએ બિન સ્થાનિક લોકોને ગોળી મારી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં બિન સ્થાનિક લોકો પર આતંકીઓનો આ બીજો હુમલો છે. તેમણે જણાવ્યું હતું કે, પુલવામાના લાજૂરામાં સોમવાર બપોરે આતંકવાદીઓએ પટલેશ્વર કુમાર અને જાકૌ ચૌધરી પર ગોળીઓ ચલાવી હતી. બંને બિહારના રહેવાસી છે.
J&K | A terrorist attack at Maisuma in Lal Chowk, Srinagar, led to the injury of 2 CRPF jawans.
તેમણે જણાવ્યું હતું કે, ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યુ છે કે, વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આ અગાઉ આતંકવાદીઓએ રવિવારની સાંજે પુલવામાના નૌપારા વિસ્તારમાં બે બિન સ્થાનિક મજૂરોને ગોળી મારી દીધી હતી. બંને પંજાબના રહેવાસી હતી.
રવિવારે પણ ભારતીય સેના અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી હતી. એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર પુંછ જિલ્લામાં હથિયાર અને દારૂગોળા જપ્ત કરવામા આવ્યા હતા. જમ્મુમાં રક્ષા પ્રવક્તા તરફથી આ અંગે નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે.