શ્રીનગરમાં સુરક્ષાદળ અને આતંકવાદી વચ્ચે અથડામણ જોવા મળી છે. જેમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સમાચાર એજન્સી ANI અનુસાર શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. પોલીસ અને CRPFના જવાનો મોરચા પર છે અને છૂપાયેલા આતંકીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સેનાને આતંકવાદીઓ છુપાયેલા હોવાની મળેલી બાતમીના આધારે શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. જેમાં ભારતીય સેનાને સફળતા મળી છે. સેનાએ એક આતંકીને ઠાર માર્યો છે. હાલમાં સર્ચે ઓપરેશન યથાવત ચાલુ છે.
#UPDATE One identified terrorist has been neutralised in the ongoing encounter in Srinagar. Search underway. Further details awaited: Kashmir Zone Police https://t.co/Sz5NsZEIDJ
આ અગાઉ જમ્મૂ-કાશ્મીર પોલીસે મંગળવારે હિઝબુલ મુજ્જાહિદ્દીન આતંકી સંગઠનના એક જૂથનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે તેમને સૂચના મળી હતી કે કાશ્મીરના ત્રણ યુવકોનું એક સંગઠન પાકિસ્તાની આતંકીના સંપર્કમાં છે.
આ સંગઠનના ત્રણેય યુવાનોની ઓળખ ગુટલીબાગ નિવાસ અર્શિદ અહમદ ખાન, ગાંદરબલ નિવાસી માજિદ રસૂલ અને મોહમ્મદ આસિફ નજર તરીકે કરવામાં આવી. ત્રણેય લોકો પાકિસ્તાની આતંકી ફયાઝ ખાનના સંપર્કમાં હતા. ફયાઝ આ વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિઓને પુરુ કરવાનો નિર્દેશ આપતો હતો.