એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શોપિયાંમાં એક એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા
શોપિયા અને પુલવામામાં એન્કાઉન્ટર
શોપિયાંમાં 5 અને પુલવામામાં 2 આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરમાં હજુ પણ ચાલુ છે આતંકી ઘટનાઓ
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શોપિયાંમાં એક એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં નૌબાગમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.
પોલીસે આપી હતી માહિતી
જમ્મુ-કાશ્મીરના શોપિયાં અને પુલવામા જિલ્લામાં બે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠન અંસાર ગજવતુલ હિન્દના વડા ઇમ્તિયાઝ અહેમદ શાહ સહિત સાત આતંકીઓને ઠાર કર્યા હતા. પોલીસે શુક્રવારે આ માહિતી આપી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "શોપિયાંમાં એક એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓ ઠાર થયા હતા જ્યારે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં નૌબાગમાં એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા." આ પહેલા કાશ્મીર ઝોનની પોલીસે કહ્યું હતું કે ગઈકાલે રાત્રે થયેલા એન્કાઉન્ટર બાદ શોપિયાંની એક મસ્જિદમાં છુપાયેલા બે આતંકીઓને પકડવાની કોશિશ ચાલુ છે.
આતંકીઓને સમજાવવાના પ્રયાસો શરૂ
પોલીસે એક ટ્વિટમાં કહ્યું કે, છુપાયેલા આતંકવાદીનો ભાઈ અને સ્થાનિક ઈમામસાહેબને આતંકવાદીઓને બહાર લાવવા અને શરણાગતિ સ્વીકારવા સમજાવવા માટે મસ્જિદની અંદર મોકલવામાં આવ્યા છે. મસ્જિદને નુકસાનથી બચાવવા માટેના પ્રયાસો પણ ચાલુ છે. અગાઉના એક ટ્વીટમાં પોલીસે કહ્યું હતું કે આતંકી સંગઠન અંસાર ગજવતુલ હિંદના વડાને પણ ઘેરી લેવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એજીયુએચ (જેઈએમ) ના વડાને ઘેરી લેવામાં આવ્યા છે." જો કે પછીથી તે એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે શોપિયાંમાં એન્કાઉન્ટર ગુરુવારે સાંજે શરૂ થયું હતું. તેમણે કહ્યું કે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને સુરક્ષા દળના ચાર જવાન ઘાયલ થયા છે.શુક્રવારે સવારે પુલવામાના ત્રાલ વિસ્તારમાં એક અન્ય એન્કાઉન્ટરમાં, સુરક્ષા દળોએ બે અજાણ્યા આતંકવાદીઓને ઠાર માર્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.