કાશ્મીરમાં આજરોજથી BSNL ના પોસ્ટપેડ મોબાઇલ ફોન સેવા શરૂ કરવામાં આવશે. જેના માટે જમ્મૂ-કાશ્મીર તંત્ર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી લઇ લીધી છે. જો કે છેલ્લા ઘણા સમયથી તૈનાત સુરક્ષા બળો માટે આ વધારે ખુશીના સમાચાર છે. પોતાના લોકો સાથે વાતચીત કરવા કલાકો સુધી તૈનાત જવાનો લાઇનમાં ઊભા રહે છે.
ફોન એક જ્યારે કંપનીમાં 140 જવાન
દરેક યુનિટમાં સેટેલાઇટ ફોન અપાયાં
જવાનોને ક્યારેક ત્રણ થી ચાર કલાકે લાગે છે નંબર
જવાન 140 અને ફોન માત્ર એક
સરકારે દરેક યુનિટ માટે કંપનીના હિસાબ પ્રમાણે ફોન ઉપલબ્ધ કરાવ્યાં છે. એટલે કે જવાનોની એક કંપની પ્રમાણે એક ફોન હોય છે. એક કંપનીમાં 80થી 140 જવાન હોય છે. પરિણામે ફોન એક હોય છે અને જવાનોની ફોન કરવાની લાઇન 4 હોય છે. જો નંબર લાગી જાય તો મુશ્કેલીથી બે-ત્રણ મીનીટ વાત થાય છે. જો ફોન વચ્ચે કપાઇ જાય તો જવાનને બીજી વખત લાઇનમાં ઉભું રહેવું પડે છે. જો કે આ મુશ્કેલીઓ વચ્ચે પણ ભારતીય જવાનો પોતાની ડ્યુટી ખુશીથી નિભાવતાં હોય છે.
દરેક યુનિટમાં સેટેલાઇટ ફોન અપાયાં
4 ઓગસ્ટ બાદ કાશ્મીરમાં તૈનાત જવાનોના ફોન બંધ કરી દેવામાં આવ્યાં હતા. BSNL જ નહીં પરંતુ બીજી કંપનીઓની સેવા પણ બંધ રહી. પહેલા મહીનામાં તો પરિસ્થિતિ એવી રહી કે એક મહીનો જવાનોને પરિવાર સાથે વાતચીત થઇ શકી નહીં. જવાનો પાસે પોતાનો મોબાઇલ હતો પરંતુ સેવા ચાલુ હતી નહીં. સપ્ટેમ્બરના અંત સુધીમાં જવાનોની દરેક કંપીનમાં એક BSNL ફોન ચાલુ કરી દેવાયો.
ત્રણથી ચાર કલાકમાં લાગે છે નંબર
જ્યાં ફોન સેવા હોય તેની આસપાસ ચાર-પાંચ લાઇનમાં જવાન ઉભા રહેલા જોવા મળે છે. કોઇકનો નંબર એક કલાકમાં તો કોઇકનો ત્રણ-ચાર કલાકમાં લાગે છે. વચ્ચે ફોન સેવા કપાઇ પણ જાય છે. જેને લઇને જવાનોનો સમય વધુ થઇ જાય છે. ક્યારે જવાનોને ઘરેથી ફોન આવે છે ત્યારે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે.
BSNL પોસ્ટપેડ સેવા શરૂ થતાં થશે ફાયદો
CRPFના DIG એમ. દિનાકરણે કહ્યું છે કે દરેક કંપનીમાં એક ફોન ચાલુ કરી દેવામાં આવ્યો છે. જવાનોને થોડી રાહ જોવી પડે છે પરંતુ તેઓ ખુશ હોય છે. થોડી મોડી પણ દરેક જવાનોને પોતાના પરિવારજનો સાથે વાતચીત થાય છે. પરંતુ હવે BSNL પોસ્ટપેઇડ સેવા ચાલુ થયા બાદ જવાનોને ફાયદો થશે.