પાકિસ્તાનનું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર હુમલા કરવા માટે આતંકીઓની એક વિશેષ ટુકડી તૈયાર કરી રહ્યું છે. જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 હટાવવાના બદલા સ્વરૂપે આ હુમલો કરવાની તૈયારીમાં છે.
PM મોદી અને NSA અજીત ડોભાલ પર હુમલાનો ખતરો
એક વિદેશી ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં મોટો ખુલાસો
જૈશ-એ-મોહમ્મદ હુમલા માટે તૈયાર કરી રહ્યો છે ખાસ કાફલો
પાકિસ્તનની ISI એજન્સી કરી રહી છે મદદ
ગુપ્તચર એજન્સીને સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ જૈશ-એ-મોહમ્મદ જમ્મૂ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવાના બદલાને લઇને ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. એક મળતાં અહેવાલ મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો એક અધિકારી આ હુમલા માટે જૈશ-એ-મોહમ્મદને મદદ કરી રહ્યો છે.
લેખિત વાતચીતની જાણકારીને લઇને થયો ખુલાસો
આ સંબંધમાં જૈશના આતંકી શમશેર વાણી અને અને તેના ચીફ વચ્ચે થયેલી લેખિત વાતચીતની જાણકારી એક ગુપ્તચર એજન્સીને મળી હતી. જ્યાંથી આ જાણકારી ભારતીય ગુપ્તચર એજન્સીઓને મળી. આ જાણકારી મુજબ આતંકીઓ સપ્ટેમ્બરમાં મોટો આતંકી હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં હતા.
30 શહેરોમાં પોલસીને એલર્ટ જાહેર કરાયું
આ જાણકારી મળતાં જમ્મૂ, પઠાનકોટ, જયપુર, ગાંધીનગર અને લખનઉ સહિત કુલ 30 અતિસંવેદનશીલ શહેરમાં પોલીસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ NSA અજીત ડોભાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે.
આતંકીઓ સતત ઘુસણખોરી કરવાનો કરી રહ્યાં છે પ્રયાસ
જૈશ-એ-મોહમ્મદ 5 ઓગસ્ટ પછીથી તેના ફિદાયીન સીમા પારથી સતત ઘુસણખોરીનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેઓ પુલવામાં જેવો મોટો આત્મઘાતી હુમલો કરવા ઇચ્છે છે. તેઓને પાકિસ્તાની આર્મીની બોર્ડર એકશન ટીમનું સમર્થન મળી રહ્યું છે.