રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે સીએમ અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક એનજીઓની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે. ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક 100 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. સીએમના આદેશ છે કે 20 ઓગસ્ટથી આ યોજના શરૂ કરવામાં આવે.
સીએમ અશોક ગેહલોતે આપ્યા ખાસ આદેશ
20 ઓગસ્ટથી રાજસ્થાનમાં મળશે 8 રૂપિયામાં ભોજન
સરકાર 8 રૂપિયામાં ગરમ અને પૌષ્ટિક ભોજન આપશે
આખા રાજ્યમાં એક સાથે શરૂ કરાશે યોજના
રાજ્યના તમામ 213 શહેરોમાં એકસાથે ઈન્દિરા રસોઈ યોજનાની શરૂઆત કરવામાં આવશે. 20 ઓગસ્ટે આ યોજના શરૂ થશે. તેમાં રસોઈના સ્થાન, એનજીઓની પસંદગી, રસોઈની સ્થાપના, સંચાલનથી લઈને તમામ જવાબદારી જિલ્લા કલેક્ટરની રહેશે. તેમને જ નોડલ ઓફિસર પણ બનાવાયા છે. કલેક્ટર જિલ્લાની રસોઈ સંચાલનની વ્યવસ્થાને સંભાળશે. સરકાર દ્વારા આ આદેશ તમામ જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યા છે. રાજસ્થાનના 213 શહેરોમાં કુલ 358 સ્થાઈ રસોઈ બનાવવામાં આવશે.
8 રૂપિયાની થાળીમાં હશે આ ભોજન
સરકારની ઈન્દિરા ગાંધી રસોઈ યોજનાનું મેનૂ રોજ બદલાશે. તેમાં સરકારના નિર્દેશ અનુસાર દરેક થાળીમાં 100 ગ્રામ દાળ, 100 ગ્રામ શાક, 250 ગ્રામ રોટલી અને અથાણું પીરસાશે, જિલ્લા કલેક્ટરની મંજૂરી બાદ રસોઈ ચલાવનારા એનજીઓ મેનૂ, રસોઈનો સમય વગેરેમાં ફેરફાર કરી શકશે.
અન્નપૂર્ણાનું નવું રૂપ
સરકારની અન્નપૂર્ણા યોજનાનું આ નવું રૂપ છે. અહીં વેનની મદદથી ખાવાનું પહોંચાડવામાં આવશે. જે કાર્યમાં સરકારને અનેક વાર અનિયમિતતાની ફરિયાદ મળી છે ત્યાર બાદ સરકારે સ્થાયી રસોઈની મદદથી જરૂરિયાતવાળા લોકોની સેવા માટે ઈન્દિરા રસોઈ યોજનાની શરૂઆત કરવાનું નક્કી કર્યુ છે.