આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગૃહમંત્રી સાથેની મુલાકાત બાદ આંધ્ર પ્રદેશના સીએમ રેડ્ડીએ કહ્યું કે મારી મુલાકાતનો એજન્ડા નીતિ આયોગની બેઠકને લઇને હતો. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં અમારો મુદ્દો રજૂ કરીશું.
આંધ્ર પ્રદેશના સીએમ રેડ્ડીએ કહ્યું કે વિશેષ રાજ્યના દરજ્જાની માગને લઇને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતનો સમય માગ્યો હતો. નીતિ આયોગની બેઠકમાં પણ આ મુદ્દાને રજૂ કરીશું.
સીએમ જગન રેડ્ડીને લોકસભાના ઉપાધ્યક્ષની રજૂઆતને લઇને પૂછવામાં આવતા કહ્યું કે આવી કોઇ રજૂઆત થઇ નથી અને ન અમને કોઇ આ અંગે પ્રસ્તાવ મળ્યો છે.
Jagan Mohan Reddy after meeting Home Minister Amit Shah: The agenda of my visit was tomorrow's NITI Aayog meeting. Tomorrow we'll be presenting our case to the NITI Aayog, which is chaired by the Prime Minister. pic.twitter.com/cnBJJyyXan
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત ગૃહ મંત્રાલયમાં થઈ હતી. સુત્રોનું કહેવું છે કે, જગનમોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટીને લોકસભામાં ડેપ્યુટી સ્પીકર પદ મળી શકે છે.
YSRCPએ એવી પણ સ્પષ્ટતા કરી કે જો રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે તો YSRCP ભાજપનો હાથ પકડશે નહીં. સુત્રોનું માનીએ તો ભાજપે લોકસભાના ડેપ્યુટી સ્પીકરપદ માટે ઓડિશાની બીજેડી પાર્ટીના અધ્યક્ષ અને સીએમ નવીન પટનાયકને પણ લોકસભા ડેપ્યૂટી સ્પીકર પદ માટે ઓફર કરી છે. આ બંને પક્ષમાંથી કોઈ પણ એક પક્ષને લોકસભા ડેપ્યુટી સ્પીકર પદ મળી શકે છે.