મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાં આશરે 600 વર્ષ પહેલા કાળી માંની આ ભવ્ય પ્રતિમાને ગોંડવાના સામ્રાજ્ય દરમ્યાન સ્થાપિત કરવામાં આવી હતી. કહેવાય છે ત્યારથી માતાની મૂર્તિને જરા પણ મૂર્તિ સહન થતી નથી. મૂર્તિમાંથી પરસેવો આવતો હતો.
મધ્ય પ્રદેશના આ મંદિરમાં માં કાળીની મૂર્તિને થાય છે પરસેવો
પૂજારીઓએ માંના વસ્ત્રો પણ બદલવા પડે છે
હવે મંદિરમાં 24 કલાક એસી રાખવુ પડે છે
અહીં માં કાળીની મૂર્તિને થાય છે પરસેવો
શ્રદ્ધાળુઓેએ પહેલા ત્યાં કૂલર લગાવી દીધુ. પરંતુ ત્યારબાદ પણ જ્યારે માં કાળીને પરસેવો આવતો હતો ત્યારે ત્યાં એસી લગાવવામાં આવ્યું, જે દિવસ-રાત ચાલતુ રહ્યું છે. આને આસ્થા અથવા અંધશ્રદ્ધા તો કહી ના શકો. હા પણ ગજબ જરૂર કહી શકશો. માણસને ગરમીમાં પરસેવો આવવો સામાન્ય વાત છે, પરંતુ મધ્ય પ્રદેશના જબલપુરમાં એક એવુ મંદિર છે, જ્યાં સ્થાપિત માં કાળીની મૂર્તિને પરસેવો આવે છે. પરસેવો નિકળતા જોઇ શકાય છે. માતાને એટલો પરસેવો થતો હતો કે પૂજારીઓને તેના વસ્ત્રો પણ બદલવા પડતા હતા. જો કે, પૂજારીઓએ ત્યાં એસી લગાવી દીધુ કારણકે માંને ગરમી ના લાગે.
મંદિરમાં 24 કલાક રાખવુ પડે છે એસી
નવરાત્રી દરમ્યાન શહેરના એવા ઐતિહાસિક મંદિરોનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે, જેના રહસ્યો આજે પણ વણઉકેલ્યાં છે. આવુ જ એક મંદિર સ્થિત છે સંસ્કારધાની જબલપુરમાં ગોંડ કાલી માં કાળીના દરબારમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. જેનુ રાજ આજે પણ રહસ્ય છે. મંદિરની મુખ્ય માન્યતા એવી છે કે જો મંદિરમાં લાઈટ બંધ થાય તો માંને એટલો પરસેવો આવે છે કે ઘણા વસ્ત્રો બદલવા પડે છે. હવે મંદિરમાં 24 કલાક એસી ચાલી રહ્યું છે, કારણકે માતાને પરસેવો ના થાય.
કૂલરથી પણ ના બની વાત
મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાં આશરે 600 વર્ષ પહેલા માં કાળીની આ ભવ્ય પ્રતિમાને ગોંડવાના સામ્રાજ્ય દરમ્યાન સ્થાપિત કરવામાં આવી હતી. કહેવાય છે ત્યારથી માતાની મૂર્તિને જરા પણ ગરમી સહન થતી નથી. મૂર્તિને પરસેવો આવતો હતો. જો કે, તે જગ્યાએ શ્રદ્ધાળુઓેએ પહેલી વખત ત્યાં કૂલર લગાવ્યુ. પરંતુ ત્યારબાદ પણ જ્યારે માં કાળીને પરસેવો આવતો હતો ત્યારે ત્યાં એસી લગાવવામાં આવ્યું. જે દિવસ-રાત ચાલુ રહે છે.