દેશની દિગ્ગજ એફએમસીજી કંપની ઇન્ડિયન ટોબેકો કંપની (ITC)ના ચેરમેન વાઇસી દેવેશ્વરનું શનિવારે નિધન થયું છે. વાઇસી દેવેશ્વર 72 વર્ષના હતા. દેવેશ્વર લાંબા સમય સુધી કેન્સરથી પીડિત રહ્યા હતા. જોકે, જોકે હાલ એ વિશે જાણી શકાયું નથી કે તેમનું મૃત્યું કયા કારણે થયું. તેમના પરિવારમાં પત્ની અને પુત્ર છે.
દેશની દિગ્ગજ એફએમસીજી કંપની ઇન્ડિયન ટોબેકો કંપની (ITC)ના ચેરમેન વાઇસી દેવેશ્વરનું શનિવારે નિધન થયું છે. વાઇસી દેવેશ્વર 72 વર્ષના હતા. દેવેશ્વર લાંબા સમય સુધી કેન્સરથી પીડિત રહ્યા હતા. જોકે, જોકે હાલ એ વિશે જાણી શકાયું નથી કે તેમનું મૃત્યું કયા કારણે થયું. તેમના પરિવારમાં પત્ની અને પુત્ર છે.
ભારતના આઝાદી પહેલા વર્ષ 1947માં 4 ફેબ્રુઆરીએ દેવેશ્વરનો જન્મ લાહોરમાં થયો હતો. દેવેશ્વરે આઇઆઇટી દિલ્હી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી અભ્યાસ કર્યો હતો. 1968 માં તે આઇટીસી સાથે જોડાયા હતા. તેઓ 11 એપ્રિલ 1984માં કંપનીના ડિરેક્ટર અને 1 જાન્યુઆરી 1996એ ચીફ એક્ઝ્યૂટિવ અને ચેરમેનનું પદ ગ્રહણ કર્યું હતું.
દેવેશ્વર બે દાયકાથી કંપનીના ચેરમેન અને સીઇઓ પર રહ્યા હતા. 5 ફેબ્રુઆરી 2017 એ બોર્ડના આદેશ પર સીઇઓનું પદ છોડ્યું હતું. જોકે નોન એક્ઝિક્યૂટીવ ચેરમેન તરીકે જોડાયેલા રહ્યા. કંપનીના એડવાઇઝર તરીકે પણ કાર્ય કર્યું. 1991 અને 1994 વચ્ચે દેવેશ્વર એર ઇન્ડિયાના ચેરમેન અને ડિરેક્ટર પદે રહ્યા હતા. 2011માં કેન્દ્ર સરકારે એમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કંપનીએ તેમના મૃત્યુંની પુષ્ટી કરી હતી.
એક તરફ આઇટીસીના નવા વેન્ચર્સને સફળતા મળી, બે દાયકામાં કંપનીનું માર્કેટ કેપ 5500 કરોડ રૂપિયાથી વધી 2.84 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. જે વાઇસી દેવેશ્વરની સફળતા દર્શાવે છે. આ સાથે આઇટીસીએ શેર હોલ્ડર્સને વાર્ષિક 23.3 ટકા રિટર્ન (CAGR) આપ્યું. 2015-2016ના અંત સુધી આઇટીસીની માર્કેટ કેપ 45 અરબ ડોલર થઇ ગઇ હતી, જે 1996ની તુલનામાં લગભગ 50 ગણી હતી.
ઇમ્પિરિયર ટોબેકો કંપની (ITC)ની સ્થાપના
1910 માં આઇટીસી એટલે કે ઇમ્પિરિયલ ટોબેકો કંપનીની સ્થાપના થઇ હતી. કંપનીની છબી ઘણા વર્ષો સુધી સિગરેટ વેચનાર કંપનીની રહી ગઇ હતી. ધીરે ધીરે કંપનીએ પોતાની ઇમેજ બદલતા એફએમસીજી સેક્ટરમાં પગલું માડ્યું. કંપનીએ 2003 માં એફએમસીજી સેગમેન્ટમાં આવી અને 10 વર્ષથી ઓછા સમયમાં કંપનીએ 10000 કરોડ રૂપિયાના માર્કેટ કેપ પર પહોંચી ગઇ. કંપનીની ફેમસ પ્રોડક્ટમાં આશીર્વાદ આટા મુખ્ય છે. આજે આઇટીસી લિમિટેડ એક એવુ નામ છે કે જેથી ભારતની મોટાભાગની આબાદી જોડાયેલી છે. ફૂડ, પર્સનલ કેયર, બ્રાન્ડેડ અપેરલ, હોટલ, એગ્રી-બિઝનેસ અથવા આઇટી જેવા ક્ષેત્રમાં પણ કંપનીએ નોંધ લેવડાવી છે.
કોલકત્તાના રાધા બજારથી શરૂઆત
ઇમ્પિરિયસ ટોબેકો કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ, આ નામથી આઇટીસીની સફર 1910માં શરૂ થઇ હતી. કોલકત્તાના રાધા બજારથી કંપનીની ઓફિસ હતી. વર્ષ 1925માં સિગરેટ બિઝનેસના બેકવર્ડ ઇન્ટીગ્રેશનના રૂપે કંપનીએ પેકેજિંગ એન્ડ પ્રિન્ટિંગની શરૂઆત કરી. જે આજે ઇન્ડિયાની બેસ્ટ પેકેજિંગ હાઉસ છે. કંપનીની 16મી એનવર્સરીએ એટલે કે 1926માં 310000 રૂપિયામાં કોલકત્તામાં 37, ચૌરંગી જે અત્યારે જવાહર લાલ નહેરુ રોડમાં પ્લોટ લીધો હતો. અહીં જ કંપનીનું હેડક્વાર્ટર 'વર્જીનીયા હાઉસ' આવેલું છે.
બદલાવનો સમય
વર્ષ 1969માં અજીત નારાયણ હકસરે આઇટીસીના પહેલા ભારતીય ચેરમેન બન્યા. 1970માં આઇટીસી એટલે કે ઇમ્પિરિયલ ટોબેકો કંપની ઓફ ઇન્ડિયાનું નામ બદલીને લમિેટેડ કરી દેવાયું. 1974માં કંપનીનું નામ આઇ.ટી.સી. લિમિટેડ કરી દેવામાં આવ્યું. વર્ષ 1975માં આઇટીસીએ ચેન્નઇની હોટલ ખરીદીને હોટલ બિઝનેસમાં ઝંપલાવ્યું. હોટલ બિઝનેસમાં ઉતરવાનો કંપનીનો ઉદ્દેશ એ હતો કે ફોરેન એક્સચેન્ઝથી મોટી કમાણી, ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવું.
લગ્ઝરી હોટલોની શરૂઆત
1990માં કંપનીએ આ સેગમેન્ટમાં મોટું રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં આઇટીસી મરાઠા, આઇટીસી ગ્રે્ન્ડ સેન્ટ્રલ, આઇટીસી સોનાર અને આઇટીસી ગ્રેડાનિયા જેવી લગ્ઝરી હોટલોની શરૂઆત કરી. ઇન્ડિયામાં તેની 100થી વધારે પ્રોપર્ટીઝ છે.
પેપરબોર્ડ્સ બિઝનેસમાં એન્ટ્રી
વર્ષ 1979માં આઇટીસીએ આઇટીસી ભદ્રાચલમ પેપરબોર્ડસ લિમિટેડ નામની કંપની શરૂ કરી. 2002માં તેનું આઇટીસીમાં વિલય થઇ ગયો બાદમાં તે ભદ્રાચલમ પેપરબોર્ડ્સ ડિવીઝન બની ગયું. પછી નવેમ્બર 2002માં તે ત્રિવેણી ટીશ્યૂઝમાં મર્જ કરી દેવામાં આવી. પેપરબોર્ડ્સ એન્ડ સ્પેશિયલિટી પેપર્સ ડિવીઝનનો જન્મ થયો. 2004માં આઇટીસીએ બિલ્ટ ઇન્ડસ્ટ્રિયલ પેકેજિંગ કંપની લિમિટેડનો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ ખરીદ્યો.