પાકિસ્તાન સામે સુપર 4 મુકાબલામાં હાર મેળવ્યા બાદ આજે શ્રીલંકા સામેની મેચમાં જીત મેળવવી ભારત માટે ખૂબ જ જરૂરી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મેચ
પાકિસ્તાન સામે સુપર 4માં ભારતને મળી હતી માત
શ્રીલંકાનાં બેટ્સમેન ફોર્મમાં
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે મેચ
એશિયા કપ 2022નાં સુપર 4મા ટીમ ઈન્ડિયાનો સામનો આજે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકા સાથે થશે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થશે. પાકિસ્તાન સામે હાર બાદ ભારત માટે આ મુકાબલો કરો કે મરો સમાન જ હશે. આવામાં રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે ત્રણેય ડીપાર્ટમેન્ટમા સારું પ્રદર્શન કરવું પડશે.
કોહલીનું ફોર્મમાં હોવું સારી બાબત છે
પાકિસ્તાન સામે મેચમાં સારી વાત એ રહી કે ટોપ 3 બેટ્સમેને સારું પ્રદર્શન કર્યું હતું. રોહિત, કેએલ રાહુલ અને વિરાટ કોહલી ત્રણેય આક્રામક અંદાજમાં જોવા મળ્યા હતા. કોહલી ભલે પોતાની સર્વશ્રેષ્ઠ ફોર્મમાં ન હોય, પણ રવિવારે તેમણે સંકેત આઆપ્યા કે તેઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે. એશિયા કપમાં સતત બીજી હાફ સેન્ચુરી બાદ તેમણે પોતાના ટીકાકારોને પણ શાંત કરી દીધા.
ટીમમા ઋષભ પંત અને દિનેશ કાર્તિકને લઈને ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાન સામે એશિયા કપમા દિનેશ કાર્તિકની જગ્યાએ દીપક હુડ્ડાને તક આપવામાં આવી હતી. કાર્તિકને પહેલી બે મેચમા મુશ્કેલીથી બેટિંગની તક મળી અને એવામાં તેમને બહાર કરવાથી ફેન્સ હેરાન છે. ભારતે પોતાના મધ્યક્રમ વિશે નિર્ણય લેવાની જરૂર છે.
ઇજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ અને જસપ્રીત બૂમરાહની ગેરહાજરીમાં ભારત પાસે બોલિંગ વિભાગમાં રમવા માટે વધારે વિકલ્પ નથી. ભારત રવિવારે પાકિસ્તાન સામે પાંચ બોલિંગ ઓપ્શન સાથે રમ્યું અને આ નિર્ણય ટીમનાં પક્ષમાં ન રહ્યો કેમકે ભુવનેશ્વર કુમારનો દિવસ પણ સારો ન ગયો.
શ્રીલંકાનાં બેટ્સમેન ફોર્મમાં
ત્રીજા નંબરનાં બેટ્સમેન ચરિત અસાલંકાને છોડીને શ્રીલંકા બેટ્સમેનોe સારું પ્રદર્શન કર્યું છે, જેમાં બાંગ્લાદેશ સામે કેપ્ટન દાસુન શનાકા અને કુસાલ મેન્ડીસ અને અફઘાનિસ્તાન સામે ધનુશ્કા ગુણતિલક અને ભાનુકા રાજપક્ષે સામેલ છે. કોચ ક્રીસ સિલ્વરવુડની ટીમ હવે રાહતનાં શ્વાસ લઇ શકે છે કે તેઓ કોઈપણ સ્થિતિમાં જીત મેળવી શકે છે.