અંતરિક્ષની દુનિયામાં ભારત સતત ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ભારતીય અંતરિક્ષ અનુસંદાન સંગઠન (ઇસરો) સોમવારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી સ્વદેશી સર્વિલાન્સ સેટેલાઇટ એમસેટની સાથે 28 વિદેશી નેનો સેટેલાઇટને અંતરિક્ષમાં પ્રક્ષેપણ કર્યું છે. એમિસેટનું પ્રક્ષેપણ રક્ષા અનુસંધાન વિકાસ સંગઠન (ડીઆરડીઓ) માટે કરવામાં આવ્યું છે. દુશ્મન પર નજર રાખવાને લઇને એમિસેટ ઘણો મહત્વપૂર્ણ છે.
ઇસરો દ્વારા પ્રથમ વાર અંદાજે 1000 લોકોને આ દ્રશ્ય લાઇવ જોવાની મંજૂરી આપી છે. દુનિયામાં અત્યાર સુધી અમેરિકાની એજન્સી નાસા જ આવુ કરતી હતી. એમિસેટ સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે ઘણો મહત્વપૂર્ણ છે. જેનું મુખ્ય કારણ છે ઇસરો અને ડીઆરડીએ તેને મળીને બનાવ્યો છે.
જેનો મુખ્ય હેતુ પાકિસ્તાનની સરહદ પર ઇલેકટ્રોનિક અથવા કોઇપણ પ્રકારની માનવીય ગતિવિધિ પર નજર રાખવાનું હશે. એટલે કે આ ઉપગ્રહ સરહદ પર રડાર અને સેન્સર પર નજર રાખશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભારતે અંતરિક્ષની દુનિયામાં એક ઇતિહાસ રચ્યો હતો, જ્યારે ભારતે સ્પેસમાં એક મૂવિંગ સેટેલાઇટને તોડીપાડવાનું સફળ પરીક્ષણ કર્યું હતું.
પહેલા 21 માર્ચે થનારા આ મિશન દરમિયાન લોન્ચ દરમિયાન લોન્ચ થનાર 220 કિગ્રા વજનવાળી 28 નૈનો સેટેલાઇટ અમેરિકા (24), લિથુઆનિયા (2), સ્પેન (1) અને સ્વિત્ઝરલેન્ડ (1) દેશની છે. આ સંપૂર્ણ ઉડાન ક્રમમાં 180 મિનિટ લાગ્યા. એમિસેટ સિવાય લોન્ચ થનારા 28 આંતરરાષ્ટ્રીય ઉપગ્રહનું વજન 220 કિલોગ્રામ છે.
ઇસરોના અધ્યક્ષના કહ્યા અનુસાર આ આપણા માટે વિશેષ મિશન છે. અમે ચાર સ્ટ્રેપ ઓન મોટર્સની સાથે એક સીએસએલવી રોકેટનો ઉપયોગ કરી રહ્યાં છે. તે સિવાય અમે પ્રથમ વખત અલગ-અલગ ઉંચાઇ પર રોકેટ દ્વારા ઓર્બિટમાં સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
ઇસરોએ રવિવારે સવારે 6.27 કલાકથી આ અભિયાનની ગણતરી શરૂ કરી દીધી હતી. અંદાજે 180 મિનીટના પુરા અભિયાન પહેલા 17 મિનીટ પુરા થવા પર પીએસએલવી 749 કિમીની ઉંચાઇ પર એમિસેટને સ્થાપિત કરશે. ત્યારબાદ ચોથા ચરણમાં લગાવેલા સોલર પાવર એન્જીન ચલાવી વિદેશી નૈનો સેટેલાઇટ અંદાજે 504 કિમીમાં સ્થાપિત કરશે.