આજે આપણે મોબાઈલ વગર એક મિનિટ પણ જીવી શકીએ તેમ નથી. કારણ કે આપણુ તમામ કોમ્યુનિકેશનનું માધ્યમ મોબાઈલ જ છે. .પરંતુ મોબાઈલ હેલ્થને નુકસાન પણ પહોંચાડે છે. સૂતાં સમયે માથા પાસે મોબાઈલ રાખવો આરોગ્ય માટે જોખમી છે. ફોનમાં જોવા મળતી ઉન જેવી વસ્તુ ફોન આવે ત્યારે સળગી ઉઠે છે ત્યારે સવાલ એ થાય છે કે, વાયરલ થયેલ આ મેસેજમાં સાચો છે કે ખોટો ?
રાતે મોબાઇલ બાજુમાં રાખીને સુતા લોકો સાવધાન
મોબાઈલનું રેડિએશન જોખમી બની શકે છે
આ વીડિયો જોઇને ચોંકી જશો
વાયરલ થયેલ આ મેસની તપાસ કરવા માટે અમારા સંવાદદાતા મોબાઈલ એક્સપર્ટને મળ્યા અને તેમને વાયરલ મેસેજ અને વીડિયો બતાવ્યા ત્યારબાદ તેની સચ્ચાઈ જાણવાનો પ્રયાસ કર્યો.
મોબાઈલ એક્સપર્ટ કર્યો ખુલાસો
તો મોબાઈલ એક્સપર્ટ તપન પંડ્યાએ અમને મોબાઈલનું રેડિએશન જોખમી છે કે નહીં તે જાણવા માટેનો ઉપાય પણ બતાવ્યો. જેનાથી તમે પણ તમારા મોબાઈલની સાર વેલ્યુ જાણી શકો છો. સૂતી વખતે માથા પાસે મોબાઈલ રાખવો જોખમી છે. મોબાઈલના ઈલેક્ટ્રોમેગ્નેટિક કિરણોની મગજ પર અસર થાય છે.
મોબાઈલમાંથી નીકળતાં રેડિયો વેવ્ઝ જોખમી છે. જ્વલનશીલ પદાર્થના સંપર્કમાં આવે તો આગ લાગી શકે છે. પેટ્રોલપંપમાં આથી જ મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ હોય છે. મોબાઈલમાંથી નીકળતાં કિરણો આરોગ્ય માટે જોખમી છે.
સોશિયલ મીડિયામાં કરાયેલ દાવો અર્ધસત્ય છે
આથી મોબાઈલનો ઉપયોગ કામ પૂરતો જ કરવો. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આરોગ્ય માટે જોખમી નીવડી શકે છે. આથી રાત્રે મોબાઈલ બાજુમાં રાખી સૂવું તે આરોગ્ય માટે જોખમી નીવડી શકે છે. પરંતુ મોબાઈલ માથા પાસે રાખવાથી કેન્સર થાય છે તેવા કોઈ પૂરાવા હજુ સુધી મળ્યા નથી. પરંતુ મોબાઈલના કિરણો જોખમી તો છે જ. આથી સોશિયલ મીડિયામાં કરવામાં આવેલો દાવો અમારી તપાસમાં અર્ધસત્ય છે.