ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન લગભગ બે વર્ષ સુધી બીમારીથી લડ્યા બાદ બુધવારે દુનિયાને અલવિદા કહી ગયા. મુંબઇની એક હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. ઇરફાન ખાન (Irrfan Khan) ના નિધન પર બોલીવુડમાં શોકનો માહોલ છે. જ્યારે દેશના નેતાઓએ પણ તેઓને યાદ કર્યા છે. પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતાઓએ ઇરફાન ખાનના યોગદાનને યાદ કર્યું.
ઇરફાન ખાનના નિધન પર બોલીવુડમાં શોકનો માહોલ
દેશના દિગ્ગજ નેતાઓએ ઇરફાન ખાનના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું
પીએમ મોદીએ પણ ઇરફાન ખાનના નિધન પર ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ લખ્યું કે ઇરફાન ખાનના નિધનથી સિનેમા જગત અને થિયેટર જગતને મોટી ખોટ પડી છે. અલગ-અલગ માધ્યમોમાં તેમના શાનદાર કામ માટે તેઓને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર, મિત્ર અને ચાહકોને તેઓ સાત્વના આપે છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
Irrfan Khan’s demise is a loss to the world of cinema and theatre. He will be remembered for his versatile performances across different mediums. My thoughts are with his family, friends and admirers. May his soul rest in peace.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઇરફાન ખાનના નિધન પર ટ્વિટ કર્યું. તેઓએ લખ્યું, વિખ્યાત અભિનેતા ઇરફાન ખાનના અકાળે નિધનથી ખુબજ દુ:ખ થયું. તેઓ દુર્લભ પ્રતિભા-સમ્પન્ન કલાકાર હતા, તેમની વિવિધ ભૂમિકાઓની છાપ હંમેશા આપણા દિલોમાં અંકિત રહેશે. તેમનું નિધન સિને જગત અને અગણિત પ્રશંસકો માટે ન ભરી શકાય તેવી ખોટ છે.
विख्यात अभिनेता इरफान खान के असामयिक निधन से गहरा दुःख हुआ।
वे दुर्लभ प्रतिभा-सम्पन्न कलाकार थे। उनकी विविध भूमिकाओं की छाप सदैव हमारे दिलों में अंकित रहेगी ।
उनका निधन, सिने-जगत व अनगिनत प्रशंसको के लिए अपूरणीय क्षति है।
उनके परिवार और प्रियजनों के प्रति मेरी शोक संवेदनाएं।
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ઇરફાન ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો. અમિત શાહે લખ્યું કે ઇરફાન ખાનના નિધનના સમાચારથી ઘણું દુ:ખ પહોંચ્યું. તેઓ એક શાનદાર અભિનેતા હતા. જેમની અદાકારીએ દુનિયાભરમાં તેમને નામના અપાવી. તેઓ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક મહત્વપૂર્ણ ભાગ હતા. તેમના નિધન સાથે દેશે એક શાનદાર અભિનેતા ગુમાવ્યા છે.
Anguished over the sad news of Irfan Khan’s demise. He was a versatile actor, who’s art had earned global fame and recognition. Irfan was an asset to our film industry. In him, the nation has lost an exceptional actor and a kind soul. My condolences to his family and followers.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇરફાન ખાનના નિધન પર ટ્વિટ કર્યું. તેઓએ લખ્યું, ઇરફાન ખાનના નિધનના સમાચાર સાંભળી ઘણું દુ:ખ થયું. તેઓ એક શાનાદર અભિનેતા હતા. જે વૈશ્વિક સ્તર પર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તેઓને હંમેશા યાદ કરવામાં આવશે.
I’m sorry to hear about the passing of Irrfan Khan. A versatile & talented actor, he was a popular Indian brand ambassador on the global film & tv stage. He will be greatly missed. My condolences to his family, friends & fans at this time of grief.
રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઇરફાનને શ્રદ્ધાંજલિ આપી. અરવિંદ કેજરીવાલે લખ્યું, ઇરફાન ખાનના નિધનના સમાચાર સાંભળીને હેરાન છું. તેઓ અમારા સમયના સૌથી શાનદાર અભિનેતાઓમાંથી એક હતા. ભગવાન તેઓની આત્માને શાંતિ આપે અને તેમના કામને હંમેશા યાદ રાખવામાં આવશે.
બીએસપીના પ્રમુખ માયાવતીએ ઇરફાન ખાનના નિધન પર લખ્યું, બોલીવુડ અને હોલીવુડમાં પણ પોતાની છાપ છોડનાર સદાબહાર અભિનેતા ઇરફાન ખાનનું માત્ર 54 વર્ષની ઉંમરમાં જ આજે નિધન થવાના સમાચાર અતિ દુ:ખદ છે. પોતાના અભિનયથી દરેક વર્ગના દર્શકોને પ્રભાવિત કરનારા ઇરફાનના પરિવાર અને દેશ-દુનિયામાં તેમના ફેન્સને ભગવાન આ દુ:ખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
बॉलीवुड व हॉलीवुड में भी अपनी छाप छोड़ने वाले सदाबहार अभिनेता इरफान खान का मात्र 54 साल की उम्र में ही आज निधन की खबर अति-दुःखद। अपने अभिनय से हर वर्ग के दर्शकों को प्रभावित करने वाले इरफान के परिवार व देश-दुनिया में उनके फैन्स को कुदरत इस दु़ःख को सहन करने की शक्ति प्रदान करे।
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઇરફાન ખાનના નિધન પર લખ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આજે એક મહેનતી અને શાનદાર અભિનેતાને ગુમાવી દીધા છે. ઇરફાને સત્યનો સ્વીકાર કર્યો અને મુશ્કેલીઓનો સામનો કર્યો.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતએ ટ્વીટ કરી લખ્યું કે દેશના સૌથી શાનદાર અભિનેતાઓમાંથી એક ઇરફાન ખાનના નિધનના સમાચાર દુ:ખ આપનારા છે. ભગવાન તેમના પરિવારને શક્તિ આપે.
નોંધનીય છે કે 54 વર્ષના ઇરફાન ખાન લાંબા સમયથી બીમાર હતા. તેઓને 2018માં કેન્સર થયું હતું. ગત દિવસોએ તેમની તબિયત અચાનક બગડી હતી જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.